કોલકાતાઃ અટલ સરકારમાં નાણાં પ્રધાન અને વિદેશ પ્રધાન રહી ચૂકેલા યશવંત સિંહા તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ યશવંત સિંહા ઘણા વખતથી સક્રિય રાજકારણથી દૂર હતા. શનિવારે સવારે યશવંત સિંહા કોલકાતા પહોંચ્યા હતા અને મમતા દીદીની પાર્ટીની સદસ્યતા લીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મમતા બેનર્જી હવે દિનેશ ત્રિવેદીને બદલે યશવંત સિંહાને રાજ્યસભામાં મોકલવાનું મન બનાવી શકે છે.
મોદી સરકારના આલોચક રહ્યા છે યશવંત સિન્હા
યશવંત સિંહાએ કોલકાતાની ટીએમસી ઓફિસમાં પાર્ટીનું સભ્યપદ લીધું હતું. યશવંત સિંહા છેલ્લા ઘણા સમયથી મોદી સરકારનો વિરોધ કરી રહ્યા છે. તેઓ ભાજપથી રોષે ભરાયા છે અને આજે તેઓ ટીએમસીમાં જોડાયા છે. બંગાળમાં ટીએમસી પહેલેથી જ મુશ્કેલીમાં છે કારણ કે મોટા નેતાઓ પાર્ટીમાંથી જઈ રહ્યા છે.
યશવંત સિન્હાના આવાથી ટીએમસીને કોટલો ફાયદો?
યશવંત સિન્હાની ટીએમસીમાં જોડાવાથી પાર્ટીને મનોબળ મળશે, જોકે તેની પાયાના સ્તરે કોઈ વધુ અસર પડે તેમ લાગતું નથી. પોતાના મોટા નેતાઓના વિદ્રોહથી ઝઝૂમી રહેલી ટીએમસીને આ સમયે સૌથી વધુ જરુર સ્થાનિક ચહેરાઓની છે. યશવંત સિન્હા ફક્ત અને ફક્ત સતત સરકાર વિરુદ્ધ બોલી રહ્યા છે અને મોદી સરકાર પર હુમલો કરી રહ્યા છે. આ જ કારણ છે તેમનું ટીએમસીમાં જોડાવાનું.
કોણ છે યશવંત સિન્હા
યશવંત સિન્હા એ આઈ.એ.એસ.ની નોકરી છોડીને રાજકારણમાં જોડાયા હતા. ચંદ્રશેખર સરકારમાં પણ મંત્રી રહી ચૂક્યા હતા. અટલ સરકારમાં નાણાં પ્રધાન અને વિદેશ પ્રધાન રહ્યા છે. અટલ બિહારી વાજપેયી નજીકના નેતા હતા પરંતુ નરેન્દ્ર મોદીનો ભાજપ તેમને પસંદ આવ્યો નહીં. તેઓ ઘણી વાર મોદી સરકારની આર્થિક નીતિઓથી લઈ વિદેશી નીતિઓ સુધી ટીકા કરતી રહે છે. તેમના પુત્ર જયંત સિન્હા ભાજપના સંસદસભ્ય છે.