એપશહેર

અમદાવાદની કંપનીને મળ્યો સંસદ ભવનની ઈમારતના રીડેવલોપમેન્ટનો કોન્ટ્રાક્ટ

નવરંગ સેન | I am Gujarat 25 Oct 2019, 7:33 pm
નવી દિલ્હીઃ અમદાવાદની એચસીપી ડિઝાઈન પ્લાનિંગ કંપનીને સંસદ ભવનની ઈમારતના રીડેવલોપમેન્ટ પ્રોજેક્ટમાં આર્કિટેક્ચરલ કન્સલટન્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. બિમલ પટેલની આ કંપનીએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટના રીડેવલોપમેન્ટનો પ્રોજેક્ટ મેળવ્યો હતો. અર્બન ડેવલોપમેન્ટ મિનિસ્ટર હરદીપ પૂરીએ જણાવ્યું હતું કે સંસદ ભવનના રીડેવલોપમેન્ટના કામ માટે રૂપિયા 448 કરોડનો અંદાજ લગાવવામાં આવ્યો હતો પરંતુ આ કોન્ટ્રાક્ટને 229.7 કરોડ રૂપિયામાં આપવામાં આવ્યો છે. કુલ કિંમતના 3થી 5 ટકા કોન્સલ્ટિંગ કોસ્ટ નક્કી કરવામાં આવી છે. જોકે, પૂરીએ તેનો ચોક્કસ આંકડો જણાવવાની ના પાડી હતી. પૂરીએ જણાવ્યું હતું કે પાર્લામેન્ટની બિલ્ડિંગને નવો ઓપ આપવાના ભાગ રૂપે ઐતિહાસિક ઈમારતોને કોઈ નુકસાન પહોંચાડવામાં આવશે નહીં. તેમણે કહ્યું છે કે આગામી 250 વર્ષને ધ્યાનમાં રાખીને નવું બાંધકામ કરવામાં આવશે. હવે ઈમારતને આધુનિક ઓપ આપવાનો તથા દિલ્હીની તાસિર પ્રમાણે બનાવવાનો સમય આવી ગયો છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો