એપશહેર

કોવિડની લહેર પાછળ કયા બે પરિબળ જવાબદાર? AIIMSના ડોક્ટરે કર્યો ખુલાસો

AIIMSના ડિરેક્ટર ડૉ.રણદિપ ગુલેરીયાએ શનિવારે જણાવ્યું હતું કે, જો લોકો કોરોનાના નિયમોનું પાલન નહીં કરે તો આગામી 6થી 8 અઠવાડિયામાં ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે

I am Gujarat 20 Jun 2021, 9:27 pm
નવી દિલ્હીઃ કોરોના સંક્રમણ ફેલાવવા પાછળ કોરોના વાઇરસમાં ફેરફાર અને માનવ વ્યવહાર એમ બે મુખ્ય પરિબળો હોવાનું AIIMSના ડૉક્ટરનું કહેવું છે. AIIMSના આસીસ્ટન્ટ પ્રોફેસર ડૉ.નીરજ નિશ્ચલનું કહેવું છે કે, કોઈ પણ મહામારીમાં તેની લહેર બે મુખ્ય પરિબળો પર આધાર રાખે છે. એક તો વાઈરસ સંબંધિત અને બીજુ માનવ સંબંધિત. તેઓએ કહ્યું કે, વાઇરસમાં ફેરફાર એક એવી વસ્તુ છે કે તેને નિયંત્રિત કરી શકાતું નથી. કોરોનાના કેસમાં ઉછાળાથી બચવા માટે લોકોએ કોવિડના યોગ્ય ફેરફાર અને નિયમોનું પાલન કરવું જોઈએ. તાજા કોરોના વાઇરસના મામલે સતત ઘટાડાના કારણે કેટલાક રાજ્યો દ્વારા પ્રતિબંધ હટાવ્યાની પૃષ્ઠભૂમિ બાદ આ નિવેદન સામે આવ્યું છે.
I am Gujarat corona-5174671_1920

આવતીકાલથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને ફ્રી વેક્સીનઃ જાણો તેના વિશે બધુ

જો કે, બજારોમાં ભીડ ઉમટતા અને કોવિડના માપદંડોનું ઉલ્લંઘન કરનારા લોકોએ વિશેષજ્ઞોને મહામારીની શરૂઆતી ત્રીજી લહેર અંગે ચેતવણી જાહેર કરવા માટે મજબૂર કર્યા છે. AIIMSના ડિરેક્ટર ડૉ.રણદિપ ગુલેરીયાએ શનિવારે જણાવ્યું હતું કે, જો લોકો કોરોનાના નિયમોનું પાલન નહીં કરે તો આગામી 6થી 8 અઠવાડિયામાં ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે.
કુંભ મેળામાં કોવિડ ટેસ્ટિંગ કૌભાંડને 'મેડિકલ આતંકવાદ' ગણાવ્યો બાબા રામદેવે, દોષીઓને સજાની માંગ

ડૉ.નિશ્ચલે જણાવ્યું કે, જો લોકો મૂળભૂત નિયમોનું પાલન કરવાનું ચાલુ રાખશે તો વાઇરસમાં ફેરફાર થવા છતા વાઇરસની આગામી લહેરને અટકાવી શકાશે. હવે વાઇરસમાં થતો ફેરફાર વધારે ચેપી બની રહ્યો છે. આ કંઈક એવું છે કે જે આપણા નિયંત્રણની બહાર છે. પરંતુ અલબત, જો આપણે આ વાઇરસને આપણાં શરીરમાં દાખલ નહીં થવા દઈએ તો કદાચ વાઇરસના આ પરિવર્તનને ટાળી શકાય. આપણી તકેદારીથી આપણે તેને નિયંત્રિત કરી શકીએ છીએ. આપણે આગામી 15થી 16 મહિનામાં કોવિડના વાઇરસમાં થતા ફેરફારની વાત કરી રહ્યાં છીએ અને આપણે જાણીએ છીએ કે કોવિડના ફેરફારને લઈને સાવચેતી રાખીને આપણે એક સાથે મળીને આ લહેરને રોકી શકીએ છીએ. આવું અગાઉની બીજી તરંગમાં પણ શક્ય બન્યું હતું. કેટલાંક નિષ્ણાંતો ભારતમાં કોવિડની ત્રીજી લહેરને લઈને ચેતવણી આપી ચૂક્યાં છે. કેટલાંક લોકોએ સૂચવ્યું છે કે આ અનિવાર્ય છે.

રોયટર્સના તાજેતરના એક સર્વે મુજબ, મોટાભાગના તબીબી નિષ્ણાંતોનું માનવું છે કે, ભારતમાં આગામી ઓક્ટોબર સુધીમાં કોવિડની નવી લહેર જોવા મળશે. નિષ્ણાંતોનું કહેવું છે કે, તાજેતરની લહેરની સરખામણીએ આગામી લહેર સારી રીતે નિયંત્રણ થવાની અપેક્ષા છે. આ મહામારી વધુ એક વર્ષ સુધી લોકોના સ્વાસ્થ્ય માટે ખતરો બની રહેશે.

Read Next Story