એપશહેર

કેરળ પ્લેન ક્રેશ: પાઈલટ અખિલેશનો પાર્થિવ દેહ જોઈને ભાંગી પડી પત્ની, કહ્યું-આ કોણ છે?

એર ઈન્ડિયા એક્સપ્રેસ વિમાન દુર્ઘટનામાં કો-પાઈલટ અખિલેશ કુમાર પણ મૃત્યુ પામ્યા. તેમની પત્ની ગર્ભવતી છે અને તેને છેલ્લા દિવસો જાય છે. પતિના મૃતદેહને જોઈને તે વિશ્વાસ જ ન કરી શકી કે તેનો પતિ આ દુનિયામાં નથી. તેે વારંવાર પ્રશ્ન કરી રહી હતી કે, 'આ કોણ છે?'

Reported byAnuja Jaiswal | Written byમિત્તલ ઘડિયા | TNN 10 Aug 2020, 8:20 am
મથુરાઃ કેરળના કોઝિકોડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દુબઈથી આવેલું એર ઈન્ડિયા એક્સપ્રેસ વિમાન દુર્ઘટનાનું શિકાર બન્યું. જેમાં 18 પેસેન્જર સહિત પાઈલટ અખિલેશ કુમારનું પણ નિધન થયું હતું. ગઈકાલે એટલે કે રવિવારે તેમના મૃતદેહને તેમના વતન ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લામાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમના અંતિંમ સંસ્કાર પણ કરવામાં આવ્યા.
I am Gujarat akhilesh kumars father
અખિલેશ કુમારના પિતા


અખિલેશ કુમારની પત્ની મેઘા ગર્ભવતી છે અને તેને છેલ્લા દિવસો જાય છે. દોઢ દિવસ સુધી અંધારામાં રાખ્યા બાદ ગઈકાલે જ્યારે મેઘાને તેના પતિના મોત વિશે જાણ થઈ તો તે ભાંગી પડી. પતિના પાર્થિવ દેહને જોઈને તે ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગી. તે હજુ પણ તેનો પતિ આ દુનિયામાં નથી તે વાત સ્વીકારવા માટે તૈયાર નહોતી. જ્યારે તેણે તેના પતિનો મૃતદેહ જોયો તો સૌથી પહેલો સવાલ એ છે કર્યો કે, 'આ કોણ છે?'.

શનિવારે રાત્રે કોચીથી દિલ્હી જ્યારે અખિલેશ કુમારના મૃતદેહને લાવવામાં આવ્યો ત્યારે તેમને સન્માન આપવા માટે એરપોર્ટ પર આશરે 200 પાઈલટ અને ગ્રાઉન્ટ સ્ટાફના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રવિવારે તેમના પાર્થિવ દેહને રોડ માર્ગે મથુરા લાવવામાં આવ્યો હતો.

અખિલેશના મૃતહેદને જોઈને મેઘા માત્ર એક જ વાત કહી રહી હતી. 'આ અખિલેશ નથી. તે હોઈ જ ન શકે. અખિલેશ નયતિ હોસ્પિટલમાં છે. જ્યાં હું મારા પહેલા બાળકને જન્મ આપવાની છું'. તે ગર્ભવતી હોવાથી અખિલેશના પરિવારે તેમના મૃત્યુની વાત તેનાથી છુપાવીને રાખી હતી.

મેઘાની ડિલિવરીની તારીખ નજીક હોવાથી અખિલેશ કુમાર ઘરે આવવાના હતા. તેમણે 21 ઓગસ્ટથી રજા પણ લઈ લીધી હતી. 'અમે છેલ્લે તેમને રક્ષાબંધન પર વીડિયો કોલથી જોયા હતા. તેઓ અહીંયા આવવાના હતા. પરંતુ આ રીતે નહીં'. તેમ તેમના બનેવી વિજયે ભારે હૈયે જણાવ્યું હતું.

અખિલેશ કુમારના મૃતદેહને જ્યારે અંતિમ સંસ્કાર માટે લઈ જવાયો ત્યારે મેઘા બેભાન થઈ ગઈ હતી. 'અમારા બાળકોનું શું થશે?', તેવું રડતા-રડતા તેણે તેના પિતા કે.ડી. શર્માને પૂછ્યું હતું. સવારે મથુરાના મોક્ષ ધામમાં તેમને અંતિમ વિદાય અપાઈ હતી.

આ દરમિયાન જિલ્લા હોસ્પિટલની મેડિકલ ટીમ પણ મેઘાની તપાસ કરવા માટે તેના ઘરે પહોંચી ગઈ હતી. 'તેની તબિયત હવે સારી છે પરંતુ ઘણીવાર બેભાન થઈ ગઈ હતી', તેમ ડોક્ટરે જણાવ્યું હતું.

જુવાનજોધ દીકરાના અંતિમ સંસ્કાર કરાયા બાદ તેમના પિતા તુલસી રામ શર્મા પણ પોતાના આંસુ રોકી શક્યા નહોતી. તેમનું કહેવું હતું કે, સરકાર પરિવારની મદદ કરશે તેવી તેમને આશા છે. 'કોવિડ ઈમરજન્સી દરમિયાન તેણે કામ કર્યું. તે શહીદ થયો છે', તેમ તેમણે અંતમાં કહ્યું હતું.

આ પણ જુઓઃ બાઈકચાલકને પરેશાન કરી રહેલા ટ્રાફિક બ્રિગેડકર્મીઓનો વીડિયો વાયરલ

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો