એપશહેર

તમારો મોબાઈલ નંબર ચાલું રાખવો છે તો મિનિમમ આટલું રિચાર્જ તો કરાવતા જ રહેવું પડશે

Mitesh Purohit | I am Gujarat 13 Dec 2019, 2:56 pm
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો, વોડાફોન-આઇડિયા અને એરટેલે હાલમાં જ પોતાના પ્રીપેઇડ પ્લાન મોંઘા કર્યા છે. જોકે વોડાફોન-આઇડિયા અને એરટેલે પોતાના ગ્રાહકોને રાહત આપતા અન્ય નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા આપી. જ્યારે જિયો હજુ પણ પોતાના ગ્રાહકો પાસેથી 0.6 પૈસા પ્રતિ મિનિટ વસૂલે છે. જોકે પોતાના પ્રીપેઇડ પ્લાન મોંઘા કર્યા હોવા છતા આ કંપનીઓએ મિનિમમ રિચાર્જ પોલિસીને બંધ નથી કરી. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: જેનો અર્થ છે જો એરટેલ અને વોડાફોન-આઇડિયા ગ્રાહકોને પોતાનો નંબર શરું રાખવા માટે દર મહિને મિનિમમ રિચાર્જ કરવાવું પડશે. અલબત્ત નવા પ્લાન આવ્યા બાદ કંપનીઓએ મિનિમમ રિચાર્જ થોડા ઘટાડ્યા છે. એરટેલનો પ્લાન ઘટીને રુ. 23 અને વાડોફોન આઇડિયા માટે રુ.24 થઈ ગયો છે. દેશની ટોપની બંને ટેલિકોમ કંપનીઓએ ઓક્ટોબર 2018 મિનિમમ રિચાર્જ પોલિસી રજૂ કરી હતી. જે મુજબ જો ગ્રાહક દર મહિને મિનિમમ રિચાર્જ નથી કરાવતા તો તમારા પ્રીપેડ એકાઉન્ટમાં બેલેન્સ હોવા છતા મિનિમમ રિચાર્જ પૂરું થઈ જતા 7 દિવસ બાદ તે નંબર પર ઇનકમિંગ બંધ થઈ જશે. જ્યારે આઉટ ગોઇંગ તો તરત જ બંધ થઈ જાય છે. એરટેલ યુઝર્સ માટે 23 અને વોડાફોન-આઇડિયા યુઝર્સ માટે 24 રુપિયાનો આ પ્લાન દર મહિને રિચાર્જ કરાવવો જરુરી છે. આ પ્લાનમાં ગ્રાહકને કોઈ ડેટા, ટોકટાઇમ કે SMS બેનિફિટ્સ નથી મળતા પરંતુ પ્રીપેડ એકાઉન્ટની વેલિડિટી વધી જાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો