ઑલ ઈન્ડિયા યૂનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF) પ્રમુખ બદરુદ્દીન અજમલે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન તાક્યું છે. તેમણે કહ્યું કે, ભાજપ સરકાર RSSના નિર્દેશ પર ચાલે છે. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે, તે પોતાના લોકોને અપીલ કરશે કે, તેઓ જેટલા બાળકો પેદા થઈ શકે તેટલા કરે. અજમલે કહ્યું કે, ના તો સરકાર અમને નોકરી આપી રહી છે ના તો અમને તેમની પાસે કોઈ આશા છે. મોદી સરકાર પર નિશાન તાકતા અજમલે કહ્યું કે, ‘અમારી વચ્ચે કોઈ પ્રતિબંધ નથી. સરકાર અમને આમ પણ નોકરી નથી આપી રહી અને અમને તેની આશા પણ નથી. હું મારા લોકોને કહીશ કે, તેઓ જેટલા બાળકો પેદા કરી શકે છે તેટલા કરે અને તેમને શિક્ષિત કરે.’ એટલે તેઓ નોકરીના અવસર વિકસિત કરી શકે છે અને હિન્દુઓને પણ રોજગાર આપી શકે છે. તેમણે આગળ કહ્યું કે, ‘આનાથી તે લોકો (મુસ્લિમ સમાજના) નોકરીની તકો ઊભી કરશે અને હિન્દુઓ પણ રોજગાર આપી શકે છે.’ RSS બહાને મોદી પર કર્યા પ્રહાર RSSના બહાને મોદી સરકાર નિશાન સાધતા અજમલે કહ્યું કે, એક તરફ RSS પ્રમુખ મોહન ભાગવત 8-10 બાળકો પેદા કરવા માટે કહે છે. બીજી તરફ, સરકારનું કહેવું છે કે, બેથી વધુ બાળકો વાળા લોકોને કોઈપણ સરકારી નોકરી નહીં આપવામાં આવે. સૌથી પહેલા તેમણે નક્કી કરવું જોઈએ કે, તેમને શું જોઈએ છીએ. ભાજપ સરકાર નાગપુરના નિર્દેશ પર ચાલે છે.