એપશહેર

DyCM બનવા અજીત પવારે ખેલ્યો આ દાવ? NCPના નેતાએ જ કર્યો મોટો આક્ષેપ

નવરંગ સેન | I am Gujarat 23 Nov 2019, 11:23 am
મુંબઈ: અજીત પવાર રાતોરાત કઈ રીતે ડેપ્યુટી સીએમ બની ગયા તેનો સવાલ સૌ કોઈને મૂંઝવી રહ્યો છે. તેવામાં એનસીપીના નેતા અને શરદ પવારના વિશ્વાસુ નવાબ મલિકે એક નવો જ ધડાકો કર્યો છે. નવાબ મલિકનો દાવો છે કે ધારાસભ્યોની મિટિંગમાં હાજરી લેવા માટે તેમની સહીઓ લેવામાં આવી હતી. ધારાસભ્યોની સહીઓવાળા આ કાગળનો દુરુપયોગ રાજ્યપાલને આ ધારાસભ્યોનો ટેકો છે તેવું બતાવવા માટે કરાયો છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો અજીત પવાર ડેપ્યુટી સીએમ બની ગયા તે અંગે એનસીપીના અધ્યક્ષ શરદ પવારે પોતે પણ કહ્યું છે કે અજીત પવારે તેમને વિશ્વાસમાં લીધા વિના જ આ પગલું ભર્યું છે, અમારો ભાજપને ટેકો નથી. શિવસેનાના નેતા સંજય રાઉતે અજીત પવાર પર પીઠમાં ખંજર ભોંકવાનો સીધો આક્ષેપ કર્યો છે. શરદ પવારના દીકરી અને એનસીપીના સાંસદ સુપ્રિયા સૂળેએ જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં જે કંઈ થયું છે તેનાથી પક્ષ તો તૂટ્યો જ છે, સાથે પરિવાર પણ તૂટ્યો છે. કોંગ્રેસના નેતા સંજય નિરુપમે આ સમગ્ર ઘટનાક્રમ પર જણાવ્યું હતું કે, તેમાં કોંગ્રેસને નાહકની બદનામી મળી છે. સત્તાની લાલચ બતાવી પક્ષની સેક્યુલર પાર્ટી તરીકેની ઓળખ પર હવે સવાલ સર્જાયો છે. તેમણે એવી પણ માગ કરી હતી કે રાહુલ ગાંધીએ ફરી કોંગ્રેસના પ્રમુખ બનવું જોઈએ. મહારાષ્ટ્રમાં રાતોરાત જે ગેમ રમાઈ ગઈ તેમાં શરદ પવારના ભત્રીજા ડેપ્યુટી સીએમ બની ગયા છે, અને દેવેન્દ્ર ફડણવીસ ફરી સીએમ. શપથ લીધા બાદ અજીત પવારે મીડિયા સમક્ષ કોઈ નિવેદન નથી આપ્યું, પરંતુ શરદ પવાર સહિતના પાર્ટીના વરિષ્ઠ નેતાઓ દાવો કરી રહ્યા છે કે અજીત પવારે જે કંઈ કર્યું તેની સાથે પક્ષ સહમત નથી.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો