એપશહેર

અખિલ ભારતીય અખાડા પરિષદે જાહેર કર્યું નકલી સંતોનું લિસ્ટ

I am Gujarat 10 Sep 2017, 2:22 pm
અલાહાબાદ: અનેક ધાર્મિક ગુરુઓના ગુનાહિત કૃત્યો સામે આવ્યા પછી અખિલ ભારતીય અખાડા પરિષદે નકલી સંતોનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં રામ રહીમ, આસારામ, નારાયણ સાઈ, રામપાલ, નિર્મલ બાબા, રાધે માં, સચિન દત્તા, અસીમાનંદ સહિત 14 બાબાઓના નામ શામેલ છે. અલાહાબાદમાં થયેલી બેઠકમાં આ નામો પર નિર્ણય લેવામાં આવ્યો. આ સંતોને પ્રયાગ કુંભમાં પ્રવેશવા પર પણ પ્રતિબંધ રહેશે. ઉલ્લેખનીય છે કે અખિલ ભારતીય અખાડા પરિષદ દેશભરના 13 અખાડાઓનું સંગઠન છે. અખાડાઓ તરફથી કહેવામાં આવ્યું છે કે, આવા બાબાઓ તેમના ખરાબ કામોને કારણે સમાજ અને ધર્મને નુકસાન થાય છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલાં જ મહંત નરેન્દ્ર ગિરીને કોઈએ આસારામનું નામ લિસ્ટાં શામેલ કરવા બદલ હત્યાની ધમકી આપી હતી. જો કે લિસ્ટમાં પહેલું જ નામ આસારામ બાપુનું રાખવામાં આવ્યું છે.
અખિલ ભારતીય પરિષદે સંદની ઉપાધિ આપવા માટે પણ એક પ્રક્રિયા નક્કી કરવાનો નિર્ણય કર્યો છે. સંતની ઉપાધિનો દુરુપયોગ ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો