એપશહેર

પુણેમાં એક જ પરિવારના 7 લોકોના કથિત આપઘાત કેસમાં આવ્યો નવો વળાંક, 4ની ધરપકડ

પુણેની ભીમા નદીમાંથી એક જ પરિવારના 7 સભ્યોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. 18-21 જાન્યુઆરી વચ્ચે 4 અને આજે વધુ 3 મૃતદેહો મળ્યા છે. પુણે ગ્રામીણ પોલીસે પ્રાથમિક દૃષ્ટિએ આ કેસને આપઘાત ગણાવ્યો હતો પરંતુ દરેક એંગલથી તપાસ કરતા હત્યાનો ઘટસ્ફોટ થયો છે. આ કેસમાં પોલીસે 4ની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Edited byદીપક ભાટી | I am Gujarat 25 Jan 2023, 8:00 pm

હાઈલાઈટ્સ:

  • પુણે ગ્રામીણ પોલીસે પ્રાથમિક દૃષ્ટિએ આ કેસને આપઘાત ગણાવ્યો હતો
  • પોલીસે અલગ-અલગ એંગલથી તપાસ કરતા હત્યાનો ઘટસ્ફોટ થયો છે
  • હાલ પોલીસે 4 આરોપીઓની અટકાયત કરીને આગળની તપાસ આરંભી
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Pune Mass Suicide
પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી
પુણે: પુણે ગ્રામીણ પોલીસે બુધવારે એક પરિવારના સાત સભ્યોની હત્યાના આરોપમાં ચાર ભાઈઓની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, તમામના મૃતદેહ 18 જાન્યુઆરી અને 24 જાન્યુઆરી વચ્ચે પૂણે જિલ્લાના દાઉન્ડ નજીક પારગાંવ ખાતે ભીમા નદીમાંથી મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા શખસો 50 વર્ષીય પીડિતના પિતરાઈ ભાઈઓ હતા. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.
4 શખસોએ આખા પરિવારને ખતમ કરવાનું કાવતરૂં ઘડ્યું
પ્રાપ્ત માહિતી અનુસાર ધરપકડ કરાયેલા એક શખસના એક પુત્રનું થોડા મહિના પહેલા લોનીકંદ ખાતે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેમને શંકા હતી કે તે અકસ્માત નથી અને તેના પિતરાઈ ભાઈએ તેની હત્યા કરી છે. પુણે ગ્રામીણ પોલીસના અધિક પોલીસ અધિક્ષક આનંદ ભોઇટેએ જણાવ્યું હતું કે આ વ્યક્તિ અને તેના ત્રણ ભાઈઓએ સમગ્ર પરિવારને ખતમ કરવા માટે કાવતરું ઘડ્યું હતું.

ચારેય ભાઈઓએ 7 સભ્યોની નદીમાં ફેંકીને હત્યા કરી
ભોઇટે જણાવ્યું હતું કે 18 જાન્યુઆરીની વહેલી સવારે ચારેય ભાઈઓએ 50 વર્ષીય વ્યક્તિ, તેની પત્ની, પુત્રી, જમાઈ અને ત્રણ પૌત્રોને ભીમા નદીમાં ફેંકી દીધા હતા અને તેમની હત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે, શરૂઆતમાં પોલીસે આ કેસમાં આપઘાતની આશંકા વ્યક્ત કરી હતી. જો કે, બાદમાં અલગ-અલગ એંગલથી તપાસ કરતા ચોંકાવનારો ઘટસ્ફોટ થતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

એક જ પરિવારના 7 સભ્યોના મોતઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં નદીના કિનારેથી ત્રણ બાળકો સહિત એક જ પરિવારના સાત સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસે મંગળવારે આ માહિતી આપી હતી. પ્રાથમિક માહિતીને ટાંકીને એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતકોમાં એક વૃદ્ધ દંપતી, તેમની પુત્રી અને જમાઈ અને ત્રણ પૌત્રોનો સમાવેશ થાય છે. ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story