એપશહેર

રસીકરણના પહેલા 2 દિવસમાં 64%ને રસી અપાઈ, વધુ લોકો જોડશે તેવી સરકારને આશા

Authored bySushmi Dey | TNN 18 Jan 2021, 9:20 am
નવી દિલ્હીઃ દેશમાં કોરોના રસીકરણ શરું થઈ ગયું છે જેને સંતોષકારક પ્રતિભાવ મળી રહેતા સરકારે ખુશી વ્યક્ત કરતા વધુ લોકો આ રસીકરણમાં જોડાશે તેવી આશા વ્યક્ત કરી છે. રસીસકરણના પહેલા બે દિવસમાં જ નિર્ધારિત 3,16,375 વ્યક્તિઓ પૈકી અંદાજે 64 ટકા જેટલા લોકોએ કોરોનાની રસી લઈ લધી છે. રાજ્ય સરકારો દ્વારા આપવામાં આવેલા પ્રાથમિક ડેટા મુજબ આ માહિતી સામે આવી રહી છે. આગામી સમયમાં તેમાં આગળ જતા ફેરફાર આવી શકે છે.
I am Gujarat almost 64 percent turn out in first two day of vaccination government hope more in future
રસીકરણના પહેલા 2 દિવસમાં 64%ને રસી અપાઈ, વધુ લોકો જોડશે તેવી સરકારને આશા


ચાર રાજ્યો તામિલનાડુ, પંજાબ, ત્રીપુરા અને પુડુચેરીમાં સૌથી ઓછી સંખ્યામાં લાભાન્વિતોએ રસીકરણનો લાભ લીધો છે. અહીં 22થી 34 ટકાની રેન્જમાં લોકો રસી લગાવવા માટે આગળ આવ્યા હતા. જ્યારે અન્ય રાજ્યોમાં 50 ટકા કરતા વધુ લોકો તેમના નિર્ધારીત સમયે રસી લેવા પહોંચી ગયા હતા. આસામ, દિલ્હી અને જમ્મુ કાશ્મીરમાં 54 ટકા જેટલા લોકોએ રસી મેળવી લીધી છે. અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા વેક્સીનનેશનના ડેટાને એક્સક્લુઝિવલી રીવ્યુ કર્યો હતો.

નિષ્ણાંતોનું માનવું છે કે રસીકરણ માટે આવતા લોકોની સંખ્યામાં ધીરે ધીરે વધારો થશે. સમાન્યરીતે દરેક જાહેર આરોગ્ય પ્રોગ્રમમાં આ જ રીતે પ્રતિસાદ મળતો હોય છે. બે દિવસમાં સમગ્ર દેશમાં કુલ 2,03,800 લોકોએ રસીનો ડોઝ લીધો છે. રવિવારે આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ 2,24,301 લોકોએ રસી લીધી હતી. જો આ આંકડાને પહેલાથી નક્કી કરવામાં આવેલા રસીકરણના લિસ્ટના 3.16 લાખ સાથે સરખાવવામાં આવે તો તે 71 ટકા જેટલા થાય છે. જોકે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા રાજ્યના આંકાડઓનું એનાલિસિસ કરતા ટકાવારી અને રસી મૂકવાનારાઓની સંખ્યાાના આંકડા એકબીજાને મેચ નથી થતા.

એડિશનલ આરોગ્ય સેક્રેટરી મનોહર અગ્નાનીએ કહ્યું કે, 'યુકે, યુએસ અને ફ્રાંસની સરખામણીએ ભારતમાં એક જ દિવસમાં સૌથી વધુ લોકોએ વેક્સીન મેળવી છે.'

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઘણી રસીકરણ સાઇટ્સ પર મોડી સાંજ સુધી ઇનોક્યુલેશન ચાલુ હોવાથી ડેટા કામચલાઉ છે અને કેટલીક સાઇટ્સ લાભાર્થીઓની વિગતો પણ જાતે અપલોડ કરી રહી હતી. તેમણે જણાવ્યું હતું કે કેટલાક મેળવનારાઓએ શનિવારે મોડી રાત્રે અહેવાલ આપ્યો હતો, કદાચ અગાઉ રસી મેળવાનારાઓએ કેટલીક ખરાબ અસરોનો અહેવાલ આપ્યો હતો.

"રસીકરણ અભિયાનનો પહેલો દિવસ સુવ્યવસ્થિત અને ઘટનાબદ્ધ હતો. હવે, હું બે પડકારોની આગાહી કરું છું: પ્રથમ, ખચકાટ અને ભય કે જે હજુ પણ ઘણા લોકોમાં અસ્તિત્વ ધરાવે છે અને બીજું રસીકરણની સંખ્યા શનિવારે પાંચથી વીસ ગણી વધી જાય પછી લોજિસ્ટિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જે દિવસમાં માત્ર 100 સુધી પહોંચી જાય છે.


એમ મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાં કોમ્યુનિટી મેડિસીન વિભાગના ડાયરેક્ટર પ્રોફેસર ડૉ. સુનીલા ગર્ગે જણાવ્યું "લોકો સારી રીતે તૈયાર નહોતા અને આશંકા ઓ છે, તેથી તેઓ રસીકરણ માટે બહાર આવે તે પહેલાં તેમનામાં આત્મવિશ્વાસ મેળવવામાં સમય લાગશે. આ માટે આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોઝિટિવ કોમ્યુનિકેશન અને સાર્વત્રિક સ્વીકૃતિની જરૂર છે, જેથી સામાન્ય જનતા તૈયાર પણ વેક્સીન માટે તૈયાર રહે.

રસીકરણ મામલે વધુ સારો દેખાવ કરનારા રાજ્યોમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ અને અરુણાચલ પ્રદેશ જેવા નાના રાજ્યોમાં 10 ટકાથી ઓછી ગેરહાજરી રહી છે. જ્યારે તેલંગાણા, સિક્કિમ, લદ્દાખ, ઓડિશા, લક્ષદ્વીપ અને હરિયાણાએ 80 ટકાથી વધુ નોંધાયેલા લાભાર્થીઓને રસી આપવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 22,644 લાભાર્થીઓને રસી આપવામાં આવી હતી, ત્યારબાદ આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહારનો સમાવેશ થાય છે. યુપીમાં 71 ટકા હાજરી નોંધાઈ હતી, જ્યારે બાકીના ત્રણ રાજ્યોમાં 60-65 ટકાની જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.

રવિવારે છ રાજ્યોમાં 553 સેશનમાં 17,072 લાભાર્થીઓને રસી આપવામાં આવી હતી, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. આ છ રાજ્યોમાં આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મણિપુર અને તમિલનાડુનો સમાવેશ થાય છે.

સરકારે જણાવ્યું હતું કે, રાજ્યોને નિયમિત સ્વાસ્થ્ય સેવાઓમાં વિક્ષેપ ઘટાડવા માટે અઠવાડિયામાં ચાર દિવસ કોવિડ-19 રસીકરણના સેશનનું આયોજન કરવાની સલાહ આપવામાં આવી છે.

સરકાર શરૂઆતમાં 3 કરોડ આરોગ્ય અને ફ્રન્ટલાઇન કામદારોને રસી આપવાની યોજના ધરાવે છે અને ત્યારબાદ દેશની વસ્તીમાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકો અને કો-મોર્બિડિટી ધરાવતા સહિત 27 કરોડના પ્રાયોરિટી ગ્રુપને રસી આપવામાં આવશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો