એપશહેર

કશ્મીર: અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી

I am Gujarat 9 Jul 2016, 8:55 am
શ્રીનગર: કાશ્મીરમાં સુરક્ષાદળો દ્વારા હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર બુરહાન વાનીને મારી નાખ્યા બાદ તનાવની પરિસ્થિતી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શ્રીનગર અને પુલવામા જિલ્લામાં પ્રશાસન દ્વારા કર્ફ્યુ જેવી સખ્તી રાખવામાં આવી રહી છે. સાવધાનીના પગલાં રુપે મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે અને અમુક ટ્રેન પણ કેન્સલ કરી દેવાઈ છે. પીટીઆઈ પ્રમાણે, જમ્મુના બેઝ કેમ્પથી અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે.
I am Gujarat amarnath yatra suspended in view of tension due to killing of hizb commander burhan wani
કશ્મીર: અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી


શુક્રવારે સવારે એન્કાઉન્ટરમાં બુરહાન અને તેના બે સાથીઓને સુરક્ષાદળોએ મારી નાખ્યા હતા. બુરહાન પર 10 લાખ રુપિયાનું ઈનામ હતુ. 21 વર્ષીય બુરહાન સોશિયલ મીડિયા પર કશ્મીરી યુવકોને આતંકવાદ સાથે જોડાવવા માટે પ્રેરી રહ્યો હતો.

હિઝબુલ કમાન્ડરના મૃત્યુ બાદ શ્રીનગરમાં લોકોએ રોડ પર નીકળીને વિરોધ પ્રદર્શન પણ કર્યુ હતુ અને પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવ્યા હતા. આ પરિસ્થિતિમાં પ્રશાસન કડક પગલાં લઈ રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો