એપશહેર

200થી વધુ મૃતકોના અંતિમ સંસ્કાર કરી ચૂકેલા એમ્બ્યુલન્સ ડ્રાઈવરનું કોરોનાથી નિધન

I am Gujarat 11 Oct 2020, 1:35 pm
આ સમયે સમગ્ર દુનિયા કોરોના વાયરસની મહામારીમાં સપડાઈ છે. દરરોજ હજારો લોકો જીવ ગુમાવી રહ્યા છે. આ બીમારીમાં કોઈ પોતાના સ્વજનોનો પણ સાથ નથી આપી રહ્યા. બીમાર લોકો જાતે જ આ જંગ લડી રહ્યા છે. એવામાં કોરોના વોરિયર્સ આવા દર્દીઓની સેવા કરી રહ્યા છે અને તેમને સાજા પણ કરી રહ્યા છે. પરંતુ કોઈ સ્થિતિમાં દર્દીનું મોત થાય છે તો તેમનો અંતિમ સંસ્કાર કરનારા પણ કોરોના વોરિયરથી ઓછા નથી. એવામાં એક શખ્સની કહાણી તમારી આંખો ભીની કરી દેશે.
I am Gujarat aarif khan 1


200 મૃતકોના અંતિમ સંસ્કાર કર્યા
આરિફ ખાન નામના વ્યક્તિ કોરોનાથી થનારા મોત બાદ મૃતકોનો અંતિમ સંસ્કાર કરતા હતા. આરિફ માર્ચથી અત્યાર સુધી લગભગ 200થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી ચૂક્યા હતા, પરંતુ હવે તેમનું જ કોરોનાથી નિધન થઈ ગયું છે. કોરોના વોરિયર આરિફ ખાન શહીદ ભગત સિંહ સેવાદળ સાથે ડ્રાઈવર તરીકે જોડાયા હતા. કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડવા અને દર્દીઓનું મોત થવા પર શબની સેવા કરનારા આરિફ ખાન પોતે કોરોના સંક્રમિત થઈ ગયા હતા. શનિવારે દિલ્હીની હિન્દુરાવ હોસ્પિટલમાં તેમનું નિધન થઈ ગયું. તેમના નિધન પર ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ દુઃખ પ્રગટ કર્યું હતું.

ઉપ રાષ્ટ્રપતિએ કરેલા ટ્વીટનો સ્ક્રીનશોટ


ભગત સિંહ સેવાદળ સાથે કામ કરતા હતા
આરિફ ખાન ફ્રી એમ્બ્યુલન્સ સેવા આપનારા શહીદ ભગત સિંહ સેવા દળ સાથે કામ કરતા હતા, આ સેવા દળ દિલ્હી-એનસીઆરમાં ફ્રી ઈમરજન્સી સેવાઓ આપતું હતું. જ્યારે કોઈ કોરોના દર્દીનું નિધન થઈ જાય અને પરિવાર પાસે અંતિમ સંસ્કાર માટે પૈસા ન હોય તો આરિફ ખાન પૈસા આપીને તેમની મદદ કરતા હતા.

અત્યાર સુધી 488 દર્દીઓની નિઃશુલ્ક સેવાશહીદ ભગત સિંહ સેવાદળ દ્વારા અત્યાર સુધી 488 કોરોના પોઝિટિવ દર્દીઓના મૃતદેહને નિઃશુલ્ક સેવા આપવામાં આવી છે. 623 પોઝિટિવ દર્દી પણ એમ્બ્યુલન્સની સેવા લઈ ચૂક્યા છે. સેવાદળ તરફથી કહેવાયું છે કે, 90 મૃતદેહોના પણ અંતિમ સંસ્કાર કરાયા, જેમના પરિવારજનો ઘરમાં ક્વોરન્ટીન હતા. શહીદ ભગતસિંહ સેવાદળ તરફથી અપીલ કરવામાં આવી છે કે તમે બધા આરિફ ખાનની આત્માને શાંતિ મળે અને અન્ય ડ્રાઈવરો તથા કોરોના યોદ્ધાઓને પણ સેવા કરવાની શક્તિ મળે તે માટે પ્રાર્થના કરો.

Read Next Story