એપશહેર

કોરોનાનો કહેર વધતા પશ્ચિમ બંગાળમાં 16થી 30 મે સુધી સંપૂર્ણ લોકડાઉન

પશ્ચિ બંગાળમાં બે સપ્તાહ સુધી સંપૂર્ણ લોકડાઉન દરમિયાન જીવન જરૂરીયાતની વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે

I am Gujarat 15 May 2021, 6:58 pm
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં કોરોનાના વધતા કેસને જોતા મમતા બેનર્જી સરકારે શનિવારે 16થી 30 મે સુધી સમગ્ર રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન રાજ્યમાં આવવા-જવાની પર પ્રતિબંધ રહેશે અને ફક્ત જરૂરી સેવાઓને જ મંજૂરી આપવામાં આવશે. તમામ ઓફિસો તથા શૈક્ષણિક સંસ્થા પણ બંધ રહેશે. જ્યારે કરિયાણા અને દૂધ-દવા જેવી જરૂરી સામાનની દુકાનો સવારે 7થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
I am Gujarat lockdown WB

ફંગલ ઈન્ફેક્શન કોરોનાના દર્દીઓમાં કેમ થઈ રહ્યું છે? ડૉ. ગુલેરિયાએ જણાવ્યું કારણમીઠાઈની દુકાનો સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. રવિવારે તમામ દુકાનો સંપૂર્ણ રીતે બંધ રહેશે. લોકડાઉન દરમિયાન પશ્ચિમ બંગાળમાં પેટ્રોલ પંપ ખુલ્લા રહેશે, બેંકો સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી રહેશે. આ દરમિયાન રાજ્યમાં તમામ ઈન્ડસ્ટ્રી બંધ રહેશે. ચાના બગીચામાં કામ કરનારા કર્મચારીઓને 50 ટકા ક્ષમતા સાથે જ કામ કરવાની મંજૂરી રહેશે.
ના હોય! નકલી રેમડેસિવિયર ઈન્જેક્શન લેનારા 90 ટકા દર્દીઓને કોરોના મટી ગયો!સમગ્ર રાજ્યમાં ભીડ એકઠી થાય તેવા કોઈ પણ કાર્યક્રમને મંજૂરી આપવામાં આવશે નહીં. ગાઈડલાઈન્સ પ્રમાણે કોઈ પણ પ્રકારના ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારની સભા યોજી શકાશે નહીં.

નોંધનીય છે કે પશ્ચિમ બંગાળમાં છેલ્લા 24 કલાકમાં 20,846 નવા કેસ નોંધાયા હતા. જેના કારણે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 10,94,000થી વધારે થઈ ગઈ છે. જ્યારે 24 કલાકમાં 136 લોકોના મોત થયા છે. જ્યારે સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકમાં 3.26 લાખથી વધારે નવા કેસ નોંધાયા છે અને 3890 લોકોના મોત થયા છે.

Read Next Story