એપશહેર

નાગરિકતા સંશોધન કાયદા પર બબાલઃ અમિત શાહે કહ્યું- 'સમાધાન શોધવા માટે વિચારી શકીએ છીએ'

Tejas Jinger | I am Gujarat 15 Dec 2019, 2:29 pm
ગિરિડીહ/બાધમારા/દેવધરઃ સંસદમાં બન્ને ગૃહોની મંજૂરી બાદ નાગરિકતા કાયદો બનતાની સાથે આસામ અને પૂર્વોત્તરના રાજ્યોમાં હિંસા ભડકી ઉઠી હતી. હવે રાજકીય બબાલ અને પૂર્વોત્તરના કેટલાક મુખ્યમંત્રીઓની અપીલને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાયદામાં કેટલાક બદલાવના સંકેત આપ્યા છે. ઝારખંડના ગિરિડીહમાં ચૂંટણી રેલી દરમિયાન શાહે કહ્યું કે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ મને (કાયદામાં) કેટલાક બદલાવ કરવા માટે કહ્યું છે. મે તેમને ક્રિસમસ પછી મળવા માટે કહ્યું છે. અમે મેઘાલય માટે રચનાત્મક રીતે સમાધાન શોધવા માટે વિચારી શકીએ છીએ. કોઈએ ડરવાની જરુર નથી. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: કોંગ્રેસ પર વરસી પડ્યા શાહ ગિરિડીહ, બાધમારા અને દેવધર વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી સભાઓમાં શાહે શનિવારે કોંગ્રેસ પર નાગરિકતા (સંશોધન) કાયદા સામે હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો. શાહે કહ્યું, “અમે નાગરિકતા સંશોધન એક્ટ લઈને આવ્યા છીએ ત્યારથી કોગ્રેસના પેટમાં પીડા થઈ રહી છે. તેઓ આની સામે હિંસા ભડકાવી રહ્યા છે.” શાહે પૂર્વોત્તરના લોકોને આશ્વાસન આપ્યું કે આ અધિનિયમ સાથે તેમની સંસ્કૃતિ, ભાષા, સામાજિક ઓળખ અને રાજકીય અધિકાર પ્રભાવિત નહીં થાય. આ તરફ આસામ, પશ્ચિમ બંગાળમાં સ્થિતિ તનાવપૂર્ણ છે. સંસદમાં બિલ આવ્યા પછી પૂર્વોત્તરના રાજ્યોમાં હિંસક વિરોધ પ્રદર્શન શરુ થઈ ગયું હતું. હિંસક પ્રદર્શનના કારણે પશ્ચિમ બંગાળની લાંબા અંતરની 28થી વધુ ટ્રેનો રદ કરવી પડી છે. ભાજપ અધ્યક્ષે કહ્યું, “હું આસામ અને પૂર્વોત્તરના અન્ય રાજ્યોના લોકોને આશ્વસ્ત કરવા માગુ છું કે તેમની સંસ્કૃતિ, સામાજિક ઓળખ, ભાષા, રાજકીય અધિકારોમાં કોઈ અંતર નહીં આવે. નરેન્દ્ર મોદી સરકાર તેની રક્ષા કરશે.”

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો