એપશહેર

2024 સુધીમાં દેશ બહાર હશે બધા ઘૂસણખોરો: અમિત શાહ

Hitesh Mori | I am Gujarat 16 Oct 2019, 9:07 pm
ગુરુગ્રામઃ હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા દેશમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર ( NRC) અને ગેરકાયદે ઘુસણખોરીનો મુદ્દો હવે રાજકીય ભાષણોનો ભાગ બની ગયો છે. કોંગ્રેસ પર દેશમાં ઘુસણખોરો મુદ્દે ચૂપ રહેવાનો આરોપ લગાવતા BJP રાહુલ ગાંધી અને પૂર્વ સરકારની નિંદા કરી રહ્યું છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે કહ્યું કે રાહુલ ગાંધી ગમે તેટલો વિરોધ કરે 2024 સુધી દેશમાંથી દરેક ઘુસણખોરને બહાર કરી દેવામાં આવશે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો હરિયાણા ચૂંટણી પહેલા બુધવારે ગુરુગ્રામ રેલી કરવા પહોંચેલા અમિત શાહે કહ્યું, ‘રાહુલ બાબાને વિરોધ કરવા દો, હુડ્ડાજીને વિરોધ કરવા દો, હું તમને વચન આપવા માટે આવ્યો છું કે 2024 પહેલા દરેક ઘુસણખોરને દેશની બહાર કાઢવામાં આવશે.’ ગુરુગ્રામ રેલી પહેલા પાનીપતમાં પણ શાહે કોંગ્રેસ પર NRCનો વિરોધ કરવા પર સવાલો ઉઠાવ્યા છે. શાહે કહ્યું કે જ્યારે BJP ઘુસણખોરોને બહાર કાઢવાની વાત કરે છે તો કોંગ્રેસ કહે છે કે તમે તેમને શા માટે કાઢી રહ્યા છો? તેઓ ક્યાં જશે? હું કોંગ્રેસને પુછવા માગુ છું કે તે(ઘુસણખોર) તમારા માસીયાઈ ભાઈ લાગે છે?’
‘કલમ 370ને દૂર કરવાનું કામ કર્યું’ આતંકવાદ અને જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 દૂર કરવા મુદ્દે શાહે કહ્યું કે જો અનુચ્છેદ 370 દેશની અંદર આતંકવાદનું કારણ હતું અને કાશ્મીરના વિકાસમાં અવરોધ હતો તેને નરેન્દ્ર મોદી સરકારે દૂર કરવાનું કામ કર્યું છે. અનુચ્છેદ 370ના કારણે દેશના દરેક નાગરિકને લાગતું હતું કે કાશ્મીર સાથે તેમનું જોડાણ અધૂરું છે, પરંતુ હવે તેવી સ્થિતિ નથી. ’10 વર્ષ સુધી ફેલાવ્યો આતંક’ પૂર્વ સરકારની આલોચના કરતા શાહે કહ્યું કે પહેલા કાશ્મીરના વિકાસ માટે કરોડો રૂપિયા મોકલવામાં આવતા હતા, પરંતુ અનુચ્છેદ 370ને કારણે રાજ્યનો વિકાસ થઈ શકતો નહોતો. 10 વર્ષ કોંગ્રેસના રાજમાં પાકિસ્તાનથી આવેલા આતંકીઓ ભારતમાં આતંક ફેલાવતા હતા, પરંતુ મનમોહન સિંહના મોઢામાંથી એક શબ્દ નહોતો નિકળતો. જ્યારે કેન્દ્રમાં BJPની સરકાર આવી તો આપણા વીર જવાનો પાકિસ્તાનની અંદર જઈને આતંકીઓના અડ્ડા પર સર્જિકલ સ્ટ્રાઈક કરી તેમને મોતને ઘાટ ઉતાર્યા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો