એપશહેર

કોણ છે પદ્મશ્રી વિજેતા રમઝાન ખાન, જેમના દીકરા BHUમાં સંસ્કૃતના પ્રોફેસર બનતા થઈ હતી બબાલ

Mitesh Purohit | I am Gujarat 27 Jan 2020, 1:06 pm
નવી દિલ્હીઃ 71માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ દેશના પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી. જેમાં રાજસ્થાનના ભજન ગાયક રમઝાન ખાન ઉર્ફ મુન્ના માસ્ટરને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા. તેઓ પ્રોફેસર ફિરોઝ ખાનના પિતા છે. જેમની થોડા દિવસો પહેલા બનારસ હિંદુ વિશ્વયુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના પ્રોફેસર તરીકે નિયુક્ત કરવાથી બબાલ મચી હતી. મુન્ના માસ્ટર જયપુરના નિવાસી છે. તેઓ ભગવાન શ્રીકૃષ્ણ અને ગાય પર ભક્તિ ગીતો માટે જાણિતા છે. મુન્ના માસ્ટરે આ ભજન ગાયકી દ્વારા કવિ રસખાનની પરંપરાને આગળ વધારી છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી. જેમાં 118 નાગરિકોને પદ્મશ્રી પુરસ્કાર દ્વારા નવાજવામાં આવ્યા છે. જેમાં મુન્ના માસ્ટરનું પણ નામ છે. 61 વર્ષના મુન્ના માસ્ટર જયપુરના બગરુના રહેવાસી છે. તેમણે શ્રી શ્યામ સુરભી નામે એક પુસ્તક પણ લખી છે. તેમજ સંસ્કૃતનું પણ સારું જ્ઞાન ધરાવે છે. મુસ્લીમ સમાજ અને તેમના સંબંધીએ ફિરોઝ ખાનના પિતા રમઝાન ખાન સાથે એવું કહીને સંબંધ તોડી નાખ્યા હતા કે જો તેઓ પોતાના દીકરાને સંસ્કૃત ભણાવશે તો તેમને સમાજમાંથી બહાર કરવામાં આવશે. પરંતુ તેમણે સમાજ અને સગા સંબંધીની પરવાહ કર્યા વગર ફિરોઝ ખાન સહિત પોતાના ચારેય દીકરાને સંસ્કૃતનો અભ્યાસ કરાવ્યો. જોકે હવે રમઝાન ખાનનો મોટો દીકરો ફિરોઝ ખાન પ્રોફેસર બની ગયો છે જેથી સગા-સંબંધીઓએ પણ ફરી સંબંધ જોડી લીધા છે. બગરુ નામના ગામડામાં બે રુમ અને એક નાના ફળિયાવાળા ઘરમાં રહેતા ફિરોઝ ખાને કહ્યું કે તેમની પેઢીઓએ ગૌસેવા કરી છે આજ એનું જ ફળ મળ્યું છે. ફિરોઝ ખાને કહ્યું કે મારા દાદા ગફૂર ખાન પણ ગૌ સેવા કરતા હતા. જે બાદ પિતા રમઝાન ખાન માટે તો કૃષ્ણ ભક્તિ અને ભજન સર્વસ્વ બની ગયું. રમઝાન ખાને આ શોખ બાળકોમાં પણ વિકસિત કર્યો. આજે તેમના પરિવારના દરેક સભ્યોને પૂરી હનુમાન ચાલિસા યાદ છે. સંબંધીઓ ઇચ્છતા હતા કે રમઝાન ખાનના છોકરા મસ્જીદના મદરેસામાં ભણે તેની જગ્યાએ તેમણે પોતાના સંતાનોને સરકારી સંસ્કૃત સ્કૂલમાં મુક્યા. મોટા દીકારા ફિરોઝ ખાને સંસ્કૃતમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ જયપુર નજીક સંસ્કૃત કોલેજમાં પોતાના બળે ગેસ્ટ લેક્ચરર તરીકેની નોકરી મેળવી. આ વર્ષે જ ઓગસ્ટ મહિનામાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમને સંસ્કૃત દિવસે સમ્માનિત કર્યા હતા. તેમને શિક્ષણ વિભાગ તરફથી બેસ્ટ ટીચરનો એવોર્ડ પણ મળ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો