એપશહેર

ખાસ ત્રિરંગો તૈયાર કરવા વેચી નાખ્યું ઘર, ચાર વર્ષ પછી સાકાર થયું સપનું

Gaurang Joshi | I am Gujarat 16 May 2019, 5:35 pm
I am Gujarat andhra man sells off house to fulfil tricolour dream
ખાસ ત્રિરંગો તૈયાર કરવા વેચી નાખ્યું ઘર, ચાર વર્ષ પછી સાકાર થયું સપનું


રાષ્ટ્રધ્વજ પ્રત્યે ઝનૂન

હૈદરાબાદઃ ત્રિરંગા પ્રત્યે દરેક નાગરિકની અંદર એક સન્માનનો ભાવ હોય છે. જોકે, આંધ્ર પ્રદેશના એક વ્યક્તિના મનમાં રાષ્ટ્રધ્વજ માટે એવું ઝનૂન જોવા મળ્યું કે તેણે પોતાનું ઘર જ વેચી નાખ્યું હતું. આવું કરનાર વ્યક્તિનું નામ આર.સત્યનારાયણ છે. જે વણકર છે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

સપનું પૂરું કરવા વેચી નાખ્યું ઘર

સત્યનારાયણ અલગ રીતે ત્રિરંગો તૈયાર કરવા ઈચ્છતાં હતાં. તેઓ કોઈપણ સિલાઈ વગર જ સિંગલ કપડા પર જ ત્રિરંગો તૈયાર કરવા ઈચ્છતાં હતાં. એકવાર તેમણે મનમાં નક્કી કર્યું પછી સત્યનારાયણને પોતાના આ સપનાંને પૂરું કરવા માટે સાડા છ લાખ રુપિયાની જરુર પડી હતી. જે માટે તેમણે પોતાનું ઘર જ વેચી નાખ્યું હતું. ત્રિરંગાને તૈયાર કરવામાં તેમને ચાર વર્ષનો સમય લાગ્યો હતો.

લાલકિલ્લા પર લહેરાતો જોવા ઈચ્છે છે ત્રિરંગો

8 ફૂટ બાય 12 ફૂટનો ત્રિરંગો તૈયાર કરવો એ સત્યનારાયણ માટે એક અનોખો અનુભવ હતો. તેણે દાવો કર્યો કે સિંગલ કપડા પર તૈયાર થયેલો ત્રિરંગો એકપણ નથી. દરેક ત્રિરંગાને કેસરી, સફેદ અને લીલા કપડાને સાથે લાવીને તૈયાર કરવામાં આવે છે. હવે તેઓ પોતાના આ સપનાને આગળ લઈ જવા ઈચ્છે છે અને લાલ કિલ્લા પર આ ધ્વજ ફરકાવવા ઈચ્છે છે.

પીએમ મોદીને સોપ્યો ત્રિરંગો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશાખાપટ્ટનમ રેલીમાં સત્યનારાયણે તેમને આ ખાસ ત્રિરંગો સોંપ્યો હતો. જોકે, તેને આ ખાસ ત્રિરંગો બનાવવાની પ્રેરણા ‘લિટલ ઈન્ડિયન્સ’ નામની શોર્ટ ફિલ્મથી મળી હતી. જેમાં એક્ટર ત્રિરંગાને એકસાથે જ તૈયાર કરે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો