એપશહેર

ઉતર્યો અમલદાર કોડીનો: CMની ખુરશી જતાં જ નાયડૂનું એરપોર્ટ પર સિક્યોરિટી ચેકિંગ થયું

I am Gujarat 15 Jun 2019, 4:12 pm
વિજયવાડા: આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા એન ચંદ્રબાબૂ નાયડૂને શુક્રવારે મોડી રાત્રે ગન્નવરમ એયરપોર્ટ પર તપાસની પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું. નાયડૂને વિમાન સુધી પહોંચવા માટેની વીઆઈપી સુવિધામાંથી પણ વંચિત રાખવામાં આવ્યા અને તેઓને સામાન્ય મુસાફરો સાથે બસમાં મુસાફરી કરવી પડી. ત્યાં સુરક્ષા પ્રવેશ દ્વાર પર એક સુરક્ષા ગાર્ડે નાયડૂની તપાસ કરી હોય તેવું પણ જોવા મળ્યું. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખને વિમાન સુધી પહોંચવા માટે વીઆઈપી વાહનની પણ સુવિધા મળી નહી. આ ઘટના અંગે ટીડીપીએ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે અને એ પ્રકારે આરોપ લગાવ્યો છે કે બીજેપી અને વાયએસઆર કોંગ્રેસ પાર્ટી બદલાની રાજનીતિ કરી રહી છે. ટીડીપી નેતા અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી ચિન્ના રાજપ્પાએ કહ્યું કે અધિકારીઓનું વલણ અપમાનજક હતું.
તેમણે કહ્યું કે નાયડૂને ક્યારેય પણ આ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડ્યો નથી. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે નાયડૂ માટેની યોગ્ય સુરક્ષાની માગણી કરી. જણાવી દઈએ કે નાયડૂ માઓવાદીઓના નિશાના પર છે, માટે નાયડૂને ઝેડ પ્લસ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. ટીડીપીએ એવો પણ આરોપ લગાવ્યો કે નાયડૂના કાફિલામાં ચાલતી બે ગાડીઓને પણ હાલમાં હટાવી લેવામાં આવી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો