એપશહેર

રીસામણે ગયેલી પત્ની પાછી ન આવતા જમાઈએ સાસરીમાં આગ લગાવી, 7 લોકો દાઝ્યા

I am Gujarat 15 Jan 2021, 1:42 pm
યુપીના કાનપુર જિલ્લામાં એક માથા ફરેલા યુવકે પત્ની ઘરે ન આવતા નારાજ થઈને સાસરીમાં આગ લગાવી દીધી. કહેવામાં આવી રહ્યું છે કે યુવક શુક્રવારે સવારે 4 વાગ્યે સાસરીમાં પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે સાસરીમાં રહેતી પોતાની પત્નીને પોતાની સાથે આવવા માટે કહ્યું. પરંતુ પત્ની રાજી ન થતા યુવકે ઘરમાં પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી. આ ઘટનામાં 7 લોકોના દાઝી ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસે તમામને હોસ્પિટલમાં એડમિટ કરાવ્યા, જેમાં ત્રણની સ્થિતિ ગંભીર હોવાનું બતાવાઈ રહ્યું છે.
I am Gujarat hus wi
પ્રતિકાત્મક તસવીર


જાણકારી મુજબ, પ્રાઈવેટ નોકરી કરતા હીરાલાલે ત્રણ વર્ષ પહેલા દીકરી મનીષાના લગ્ન મુકેશ સાથે કરાવ્યા હતા. મનીષા અને મુકેશને એક મહિનાનો દીકરો પણ છે. મુકેશ પત્ની મનીષા સાથે મારપીટ કરતો અને તેને પરેશાન કરતો હતો. રિપોર્ટ મુજબ મુકેશના લગ્ન 3 વર્ષ પહેલા થયા હતા, પરંતુ તેની દારૂ પીવાની ટેવથી કંટાળીને પત્ની પિયરમાં જતી રહી હતી. મનીષા પોતાના બાળક સાથે પિયરમાં રહેતી હતી. એવામાં મુકેશ પત્નીને પોતાની સાથે લઈ જવા માટે પ્રેશર કરતો હતો. પોલીસે હીરાલાલને કહ્યું હતું કે, જો દીકરી સાસરીમાં જવા ઈચ્છો તો મોકલી દો અને જો ન જવા ઈચ્છો તો ન મોકલશો.

પોલીસની ટીમો તપાસમાં જોડાઈ
એસ.પી સાઉથ દીપક ભૂકર મુજબ, હરદોઈના રહેનારા મુકેશના લગ્ન મનીષા સાથે થયા હતા. બંને વચ્ચે પરિવારિક વિવાદ ચાલી રહ્યો હતો. એવામાં એક સવારે મુકેશ સાસરીમાં ગયો અને ત્યાં ઊંઘી રહેલા સાસરી પક્ષનો લોકોને દરવાજો ખોલવા માટે કહ્યું, જ્યારે દરવાજો ન ખુલ્યો તો તેણે ગેટ પર પેટ્રોલ નાખીને આગ લગાવી દીધી. જેમાં પત્ની સહિત 7 લોકો દાઝી ગયા. આ ઘટનામાં મનીષાના દીકરાને ઈજા નથી પહોંચી, હવે મુકેશને પકડવા માટે ટીમ બનાવવામાં આવી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો