મુંબઈ: ભારે વરસાદના કારણે મુંબઈમાં એક બાદ એક ઈમારત ધસી પડી હોવાનું જાણવા મળ્યું છે. બપોરે મલવાની વિસ્તારમાં મકાનનો એક ભાગ ધસી પડતા 6 લોકો કાટમાળ હેઠળ દબાઈ ગયા હતા. આ દરમિયામન સાંજે પણ કિલા ક્ષેત્ર સ્થિત 6 માળની ભાનુશાળી ઈમારતનો એક હિસ્સો ધસી પડ્યો. આ કાટમાળમાંથી ઘણાં લોકોને કાઢીને હોસ્પિટલ મોકલવામાં આવ્યા, જ્યાં ઈલાજ દરમિયાન 4 લોકોના મોત નીપજ્યા. બાદમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
બીએમસીએ જણાવ્યું કે દક્ષિણ મુંબઈ સ્થિત આ જૂની ઈમારતની પાસે ફાયર બ્રિગેડની 8 ગાડીઓ હાજર છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. એનડીઆરએફની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે.
આ ઘટના અંગે શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે જણાવ્યું કે આ ઈમારતમાં રિપેરિંગ કામ ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. બિલ્ડિંગમાં હાજર પરિવારને બહાર કાઢવામાં આવશે.
Mumbai: People from Bhanushali building at Fort being rescued by the fire department, after a portion of the building collapsed today. A team of NDRF moved to the spot. pic.twitter.com/8b2eqZNhhP— ANI (@ANI) July 16, 2020અધિકારીઓના જણાવ્યા મુજબ મુંબઈમાં સતત છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે. તેવામાં નબળા મકાનો ધસી પડવાની સંભાવનાઓ વધી ગઈ છે. જૂના મકાનમાં રહેતા લોકોએ પોતાની સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. આ ઘટના બપોરની છે અને આ દુર્ઘટનામાં 5થી 6 લોકો કાટમાળ હેઠળ દબાઈ ગયા હતા, જેઓને સુરક્ષિતરીતે નીકાળવામાં આવ્યા હતા.