એપશહેર

અનલોક 4: લગ્નપ્રસંગથી લઈને બીજી પણ કેટલીક છૂટછાટ આપવા વિચારી રહી છે સરકાર

1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનલોક-4ની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં લગ્નપ્રસંગમાં ગમે તેટલા મહેમાનોને બોલાવાની છૂટ મળે તેવી શક્યતા છે. પરંત સરકારની ગાઈડલાઈનનું પણ પાલન કરવાનું રહેશે. સ્કૂલો ખુલવાની શક્યતા ઓછી છે. જ્યારે સિનેમાઘરો ખોલવા માટે પણ નવા નિયમો લાગુ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત 5 મહિનાથી બંધ રહેલા સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય આયોજનો પણ આ રીતે શરૂ થઇ શકે તેવી શક્યતા છે.

I am Gujarat 24 Aug 2020, 12:26 pm
નવી દિલ્હી: 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનલોક-4ની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં હવે લગ્નપ્રસંગમાં પહેલાની જેમ ધામઘૂમથી મોટી સંખ્યામાં સગા સંબંધીઓ અને મહેમાનોની હાજરીમાં લગ્ન યોજી શકાશે. મીડિયા રિપોર્ટ મુજબ અનલોક-4માં હવે 50થી વધુ એટલે કે ગમે તેટલા મહેમાનોને બોલાવી શકાશે. પરંતુ સરકારની ગાઈડલાઈનનું પણ પાલન કરવાનું રહેશે. એટલે કે, જો કોઈને 100 મહેમાન બોલાવાના હોય તો તે લગ્નસ્થળ 200ની ક્ષમતાવાળો હોવો જોઈએ. આ ઉપરાંત 5 મહિનાથી બંધ રહેલા સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય આયોજનો પણ આ રીતે શરૂ થઇ શકશે. અનલોક-4માં સિનેમાઘરો ખોલવા અંગે પણ નિયમો આવી શકે છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
I am Gujarat 12
પ્રતિકાત્મક તસવીર


પર્યટન અને સંસ્કૃતિના ક્ષેત્ર કોરોનાના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા સેક્ટર્સ પૈકી એક છે. કેન્દ્રીય પર્યટન મંત્રીના જણાવ્યાનુસાર હોટલ ઇન્ડસ્ટ્રીની રેવન્યૂનો મોટો હિસ્સો આ સેક્ટર્સમાં મીટિંગ, કોન્ફરન્સ તથા એક્ઝિબિશન જેવા આયોજનોથી મળે છે. મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રીને પત્ર લખીને સૂચન કરાયું છે કે બેન્ક્વેટ હૉલ અને કોન્ફરન્સ રૂમમાં 50% ક્ષમતામાં લોકોને આમંત્રિત કરીને આયોજનની છૂટ આપવામાં આવે. અનલોક-4 અંગેના નવા આદેશમાં આ બાબતોનો સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે.

મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે પરિસ્થિતિ સામાન્ય થશે ત્યારે જ સ્કૂલો ખોલવાનો આદેશ કરવામાં આવશે. રિપોર્ટ મુજબ દેશભરની સ્કૂલો અને વાલીઓએ રાજ્ય સરકારો દ્વારા કેન્દ્રને મોકલેલા અભિપ્રાયમાં જણાવ્યું છે કે સ્કૂલો ખોલવાનો નિર્ણય સ્થિતિ સામાન્ય થયા પછી જ લેવામાં આવે. કેમ કે, સ્કૂલો ખોલવાથી બાળકોના સ્વાસ્થ્ય અને જીવનને જોખમ હોવાને કારણે ઉતાવળ કરવાની જરૂર નથી. આથી અનલોક-4માં સ્કૂલો ખુલવાની શક્યતા ઓછી છે. ઉલ્લેખનીય છે કે, માર્ચથી દેશભરમાં લોકડાઉન લાગુ થયા બાદ ઉપરોક્ત પ્રવૃતિઓ પર પ્રતિબંધ મૂકાયો હતો.

Read Next Story