નવી દિલ્હી: ભારત અને ચીન બોર્ડર પર છેલ્લા 4 દાયકાથી હિંસા જોવા નથી મળી, ત્યાં સોમવારે રાત્રે અચાનક સ્થિતિ બદલાઈ ગઈ. ચીન તરફથી લદાખ બોર્ડર પર હિંસા થઈ, જેમાં ભારતીય સેનાના એક અધિકારી અને બે જવાન શહીદ થઈ ગયા. આવું 70ના દાયકા બાદ પહેલી વખત થયું છે કે, ભારત-ચીન બોર્ડર પર હિંસામાં કોઈ જવાન શહીદ થયો હોય. LAC બોર્ડર પર છેલ્લે ફાયરિંગ 1967માં થયું હતું, જેમાં બંને દેશોને નુકસાન થયું હતું. આ વખતની અથડામણમાં ગોળી તો નથી ચાલી પરંતુ જવાનોનો જીવ ગયો.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficialચીનનો દાવો, ભારતના સૈનિકોએ પહેલા હુમલો કર્યોચીને આ ઘટના માટે ઉલટાનો ભારત પર દોષનો ટોપલો ઢોળ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયને જ્યારે ભારતીય જવાનોની શહીદી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ભારત એક તરફી કાર્યવાહી ન કરે અને સમસ્યાને ભડકાવે નહીં. ચીને દાવો કર્યો કે, ભારતના સૈનિકોએ સરહદ પાર કરી અને ચીનના જવાનો પર હુમલો કર્યો.છેલ્લે 1967માં થઈ હતી હિંસક અથડામણભારત અને ચીન વચ્ચે સરહદ પર છેલ્લે 1967માં ગોળી ચાલી હતી. એટલે કે 53 વર્ષ પહેલા. આ હિંસક અથડામણ સિક્કિમમાં થઈ હતી. ચીન અહીં એટલા માટે ચીડાયેલું હતું કે, 1962ના યુદ્ધ બાદ ભારત એ વિસ્તારમાં સતત પોતાની સ્થિતિ સુધારી રહ્યું હતું. 1967ના આ યુદ્ધમાં ભારતના 80 જવાન શહીદ થયા હતા. તો, ચીનના લગભગ 400 સૈનિકો પોતાનો જીવ ગુમાવ્યો હતો.1975માં ચીને કર્યો હતો હુમલોબંને દેશો તરફથી છેલ્લો ગોળીબાર 1967માં ચોક્કસ થયો હતો, પરંતુ તેના 8 વર્ષ પછી ચીને ઘાત લગાવીને હુમલો કર્યો હતો. તેમાં ચાર ભારતીય સૈનિક શહીદ થયા હતા.મોદીએ કરી હતી ચીનની પ્રશંસાઘણા તણાવ છતાં ચીનની સરહદ પર હિંસા ન થવાને લઈને પીએમ નરેન્દ્ર મોદી પ્રશંસા પણ કરી ચૂક્યા છે. તેમણે પોતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, બંને દેશો તરફથી બોર્ડર પર એક પણ ગોળી નથી ચલાવાઈ, જે બંનેની ‘પરિપક્વતા’ બતાવે છે. કોરોના વાયરસ પર ખુલી રહેલી પોલને વચ્ચે ચીન બોખલાયેલું છે, ત્યારે બનેલી આ ઘટના ઘણું ટેન્શન ઊભું કરનારી છે.