એપશહેર

અરૂણાચલ પ્રદેશના રાજ્યપાલને પદ પરથી હટાવી દેવાયા

I am Gujarat 12 Sep 2016, 7:32 pm
નવી દિલ્હી: અરૂણાચલ પ્રદેશના ગવર્નર જ્યોતિ પ્રસાદ રાજખોવાને પદ પરથી હટાવી દેવાયા છે. રાષ્ટ્રપતિના આદેશ પર સોમવારે તેમને પદ પરથી હટાવી દેવાયા. મેઘાલયના ગવર્નરને અરૂણાચલ પ્રદેશનો વધારાનો હવાલો સોંપાયો છે.
I am Gujarat arunachal pradesh governor jp rajkhowa sacked
અરૂણાચલ પ્રદેશના રાજ્યપાલને પદ પરથી હટાવી દેવાયા


ઉલ્લેખનીય છે કે, 13 જુલાઈએ સુપ્રીમ કોર્ટે રાજખોવાની ભલામણ પર ઘરભેગી કરાયેલી રાજ્યની કોંગ્રેસ સરકારને ફરીથી સત્તા સોંપી હતી. કોર્ટે રાજખોવાના તમામ નિર્ણયને રદ કરી દીધા હતા. કોર્ટે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણને ‘ગેરબંધારણીય’ જણાવી હતી.

રાજખોવાએ દાવો કર્યો હતો કે, કેન્દ્ર સરકારે તેમને ‘સ્વાસ્થ્યના કારણો’થી પદ છોડવા કહ્યું છે. રાજખોવાએ પદ છોડવાનો ઈન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, તે ઈચ્છે છે કે, રાષ્ટ્રપતિ તેમને પદ પરથી દૂર કરે.

રાજખોવાએ એક સ્થાનિક ચેનલ સાથે વાતચીતમાં કહ્યું હતું કે, ‘હું ઈચ્છું છું કે, રાષ્ટ્રપતિ મને પદ પરથી હટાવે. રાષ્ટ્રપતિ પોતાની નારાજગી જાહેર કરે. કેન્દ્ર સરકાર બંધારણની કલમ 156નો ઉપયોગ કરે.’ રાજખોવાને ગત વર્ષે જૂનમાં ગવર્નર બનાવાયા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો