એપશહેર

કોરોનાના 4 દર્દી પર પ્લાઝમા થેરપીની સકારાત્મક અસર, કેજરીવાલે કહ્યું-'સાજા થયેલા લોકો ડોનેટ કરે'

શિવાની જોષી | I am Gujarat 24 Apr 2020, 1:20 pm
નવી દિલ્હી: કોરોના વાયરસની સારવારમાં પ્લાઝમા થેરપી અસરકારક સાબિત થઈ શકે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે આ વાતના સંકેત આપ્યા છે. તેમણે જણાવ્યું કે, દિલ્હીમાં કોરોનાના 4 દર્દીઓ પર પ્લાઝમા થેરપીનો પ્રયોગ કરવામાં આવ્યો અને તેના સારા પરિણામ સામે આવ્યા છે. કેજરીવાલે કહ્યું કે, હવે કેંદ્ર સરકાર પાસે બાકીના ગંભીર દર્દીઓને પ્લાઝમા થેરપી આપવાની મંજૂરી માગવામાં આવશે. કેજરીવાલે એમ પણ કહ્યું કે, પ્લાઝમા થેરપીના પ્રારંભિક પરિણામ ઉત્સાહવર્ધક છે પરંતુ તેને કોરોનાનો સચોટ ઇલાજ ન સમજવો. કેજરીવાલ અને તેમની સાથે આવેલા ડૉક્ટરે કહ્યું કે, કોરોનાથી સાજા થયેલા દર્દીઓએ હવે દેશભક્તિ બતાવીને પ્લાઝમા ડોનેટ કરવા જોઈએ.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોદિલ્હી સરકારે નાયક હોસ્પિટલના 4 દર્દીઓને પ્લાઝમા ટ્રીટમેન્ટ આપી છે. કેંદ્ર સરકારની મંજૂરી બાદ આ પગલું ઉઠાવાયું હતું. પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું કે, સારી ખબર એ છે કે, ચારેય દર્દીઓમાં સકારાત્મક પરિણામ દેખાઈ રહ્યા છે. કેજરીવાલ સાથે આવેલા તબીબે જણાવ્યું કે, આ ચારમાંથી બે દર્દીઓને આગામી થોડા દિવસમાં ડિસ્ચાર્જ કરવામાં આવી શકે છે. અગાઉ આ દર્દીઓ વેન્ટિલેટર પર જાય તેવી સ્થિતિમાં હતા. હવે બંનેને ICUમાંથી સામાન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવશે.કેજરીવાલે જણાવ્યું કે, પ્લાઝમા ટ્રીટમેન્ટ પહેલા દર્દીઓનો રેસ્પિરેટરી રેટ 30 હતો, જે સામાન્ય રીતે 15 હોવો જોઈએ. હવે પ્લાઝમા થેરપી બાદ તેમનો રેસ્પિરેટરી રેટ 20 થયો છે.#WATCH Delhi Chief Minister Arvind Kejriwal appeals to those people who have recovered from #COVID19 to donate blood plasma. pic.twitter.com/a9S9QpgRbP— ANI (@ANI) April 24, 2020કેજરીવાલ અને તેમની સાથે આવેલા ડૉક્ટર એસ. કે. સરીને ભારપૂર્વક કહ્યું કે, કોરોનાથી સાજા થયેલા દર્દીઓ હોમ ક્વોરન્ટીન છે અને હવે તેમણે દેશભક્તિ બતાવવી જોઈએ. તેમણે પોતાનું પ્લાઝમા ડોનેટ કરવા માટે આગળ આવવું જોઈએ. કેજરીવાલે કહ્યું, સાજા થયેલા દર્દીઓને સરકાર ફોન કરશે અને જો તેઓ રાજી હશે તો ગાડી મોકલીને તેમને હોસ્પિટલ લવાશે. પછી તેઓ પ્લાઝમાં ડોનેટ કરી શકે છે. ડૉક્ટર સરીને જણાવ્યું કે, પ્લાઝમા ડોનેટ કરવાથી કોઈ સાઈડ ઈફેક્ટ નથી થતી.શું છે પ્લાઝમાં થેરપી?એન્ટીબોડીનો ઉપયોગ આ થેરપીમાં કરી શકાય છે. એટલે જ પ્લાઝમા થેરપીને એન્ટીબોડી થેરપી પણ કહી શકાય છે. કોઈ ખાસ વાયરસ કે બેક્ટેરિયા સામે શરીરમાં એન્ટીબોડી ત્યારે જ બને છે જ્યારે વ્યક્તિ તેનાથી પીડિત હોય. હાલ કોરોના વાયરસ ફેલાયેલો છે. ત્યારે જે દર્દી આ વાયરસથી સંક્રમિત થયો હતો અને હવે સાજો છે તેના શરીરમાં કોવિડ સામે એન્ટીબોડી બને છે. આ એન્ટીબોડીના સહારે દર્દી સાજો થાય છે. જ્યારે કોઈ દર્દી બીમાર પડે છે ત્યારે તેના શરીરમાં તરત જ એન્ટીબોડી બનતા નથી અને તેના શરીરમાં એન્ટીબોડી બનવામાં મોડું થવાના કારણે તે સીરિયસ થાય છે.તો આ તરફ જે દર્દી હાલમાં જ સાજો થયો છે તેના શરીરમાં એન્ટીબોડી હોય છે. તે એન્ટીબોડી તેના શરીરમાંથી કાઢીને બીજા દર્દીના શરીરમાં નાખવામાં આવે છે. બીમાર દર્દીના શરીરમાં એન્ટીબોડી પ્રવેશે ત્યારે તેની અસર દેખાય છે. વાયરસ નબળો પડવા માંડે છે અને દર્દીના સાજા થવાની સંભાવના વધે છે.કોરોનાને હરાવીને ડ્યૂટી પર હાજર થનારા હેડ કોન્સ્ટેબલનું કરાયું સન્માન
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story