એપશહેર

25 દિવસના જેલવાસ બાદ આર્યનને મળ્યા જામીન, શુક્રવારે થશે છૂટકારો

આર્યન ખાનના વકીલે કરેલી દલીલો કામ લાગી, ડ્રગ્સ કેસના આરોપી આર્યન ખાનનો આખરે હવે જેલમાંથી થશે છૂટકારો

I am Gujarat 28 Oct 2021, 6:21 pm
મુંબઈ: ડ્રગ્સ કેસના આરોપી આર્યન ખાનને આખરે જામીન મળી ગયા છે. આજે બોમ્બે હાઈકોર્ટે આર્યન સહિત મુનમુન ધામેચા અરબાઝ મર્ચન્ટને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આજે એનસીબીએ આર્યન જે આરોપમાં સંડોવાયેલો છે તે હત્યાથી પણ ગંભીર આરોપ છે તેમજ તે ડ્રગ પેડલર્સના સંપર્કમાં હોવાની સાથે તે લાંબા સમયથી ડ્રગ્સનું સેવન કરતો હોવાના આરોપ મૂક્યા હતા. તપાસ સંસ્થાએ એવો પણ દાવો કર્યો હતો કે આર્યન ખાનને જામીન પર છોડાયો તો કેસ પર તેની અસર પડી શકે છે.
I am Gujarat aryan khan is consuming drugs since last two years claim ncb in bombay high court
25 દિવસના જેલવાસ બાદ આર્યનને મળ્યા જામીન, શુક્રવારે થશે છૂટકારો


આર્યન ખાને હાઈકોર્ટમાં કરેલી જામીન અરજીની સુનાવણીનો આજે ત્રીજો દિવસ હતો. આજે કોર્ટમાં એનસીબી દ્વારા દલીલો કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, એનસીબીએ કોર્ટને જણાવ્યું હતું કે આર્યન ખાને પહેલીવાર ડ્રગ્સ નથી લીધું. તે છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્સની નિયમિત ખરીદી કરે છે. એટલું જ નહીં, તેણે મોટી માત્રામાં ડ્રગ્સ ખરીદ્યું હોવાનો પણ આધાર મળ્યો છે. તે ડ્રગ પેડલર્સના સંપર્કમાં પણ હતો. આર્યન ખાનના ફોનમાંથી મળેલી વોટ્સએપ ચેટ અંગે સરકારી વકીલે જણાવ્યું હતું કે એનસીબી પાસે એવિડેન્સ એક્ટ 65B હેઠળ સર્ટિ. પણ છે.

આર્યન ખાનની જામીન અરજી પર જસ્ટિસ સાબરેની કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. બીજી તરફ, એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ પણ પોતાની સામે થયેલા આક્ષેપોની મુંબઈ પોલીસ દ્વારા કરાઈ રહેલી તપાસમાં ધરપકડની શંકા વ્યક્ત કરીને હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જેની સુનાવણી કોર્ટની ડિવિઝન બેન્ચમાં થઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, કોર્ટે મુંબઈ પોલીસને આદેશ આપ્યો છે કે વાનખેડેની ધરપકડ કરતા પહેલા તેમને ત્રણ દિવસની નોટિસ આપવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, આર્યન ખાનની 03 ઓક્ટોબરના રોજ ક્રુઝ પર કથિત ડ્રગ્સ પાર્ટી કરવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, આર્યનના વકીલોનો દાવો છે કે ના તો તેની પાસેથી કોઈ ડ્રગ્સ મળી આવ્યું છે કે ના તો તેણે ડ્રગ્સ લીધા હોવાની કોઈ સાબિતી મળી છે. તેવામાં આર્યનની ખોટી રીતે ધરપકડ કરીને તેને જેલમાં રાખવામાં આવ્યો છે. બીજી તરફ એનસીબીની દલીલ છે કે આર્યન ખાન બે વર્ષથી ડ્રગ્સ લે છે, અને તે ડ્રગ પેડલર્સના સંપર્કમાં પણ હતો.

હાલ આર્થર રોડ જેલમાં બંધ રહેલા આર્યન ખાને નીચલી કોર્ટમાં પણ જામીન મેળવવા તમામ પ્રયાસ કરી જોયા છે. જોકે, ત્યાંથી તેને જામીન ના મળતા આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આર્યનની જામીન અરજી પર આજે સતત ત્રીજા દિવસે સુનાવણી કરવામાં આવી રહી છે. જો આર્યન ખાનને આજે જામીન ના મળે તો શક્ય છે કે તેને દિવાળીની રજાઓ પૂરી ના થાય ત્યાં સુધી જેલમાં જ રહેવું પડશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો