એપશહેર

CAB: વિરોધ-પ્રદર્શનની સમીક્ષા માટે PM અને ગૃહમંત્રીને મળશે આસામના CM

Hitesh Mori | I am Gujarat 14 Dec 2019, 11:12 pm
ગુવાહાટીઃ નાગરિકતા કાયદામાં થયેલા ફેરફાર બાદ પૂર્વોત્તર ખાસ કરીને આસામમાં મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. રાજ્ય સરકારે પરિસ્થિતીને કાબુ કરવામાં મુશ્કેલી થઈ રહી છે. સ્થિતિની ગંભીરતા એટલી છે કે મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ જલદી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરવા માટે દિલ્હી જવાના છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો આસામના સંસદીય કાર્ય મંત્રી ચંદ્ર મોહન પટોવારીએ શનિવારે જણાવ્યું કે બીજેપીના ધારાસભ્યો અને સાંસદોની ગુવાહાટીમાં થયેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે રાજ્યની સ્થિતિ અંગે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને માહિતી આપવામાં આવે છે. પટોવારીએ એક નિવેદનમાં કહ્યું કે, મુખ્યમંત્રીની આગેવાનીમાં એક ટીમ જલદી બંને નેતાઓને મળશે અને હાલની પરિસ્થિતી અંગે માહિતી આપશે. આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે ટ્વીટ કરીને જણાવ્યું કે રાજ્યની સ્થિતિ અંગે પોતાના કેબિનેટ સહયોગી, કેન્દ્રીય મંત્રી રામેશ્વર તેલી, સાંસદો, ધારાસભ્યો, આસામ બીજેપી અધ્યક્ષ રંજીત કુમાર દાસ સાથે ગુવાહાટીમાં બેઠક યોજી. રાજ્યસભામાં બુધવારે રાત્રે નાગરિકતા સંશોધન બિલને મંજૂરી આપી દીધી, ત્યાર બાદથી રાજ્યમાં હિંસક પ્રદર્શન શરૂ થઈ ગયું. રાજ્યના દરેક મોટા શહેરો અને ગામમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટનાઓ સામે આવી રહી છે. વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થઈ ચૂક્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો