એપશહેર

જ્યાં પણ મોદીનો ફોટો જોતા હાથ જોડતા, ભારતીય બનાવાની આશામાં 104 વર્ષના ચંદ્રધર દાસનું નિધન

I am Gujarat 15 Dec 2020, 1:20 pm
ગુવાહાટીઃ આસામમાં નાગરિક્તા કાયદો(CAA) લાગુ થવાની અને પોતાના પરથી વિદેશીનો ઠપ્પો દૂર થઈને ભારતીય નાગરીક બનવાની આશામાં જીવી રહેલા 104 વર્ષના ચંદ્રધર દાસનું રવિવારે હૃદયરોગના કારણે મોત નીપજ્યું છે. બે વર્ષ પહેલા તેમને વિદેશીઓ માટે બનાવવામાં આવેલ ડિટેન્શન કેમ્પમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં તેમણે ત્રણ મહિના વિતાવ્યા હતા. જે બાદ તેમને અહીંથી બહાર જઈને રહેવાની મંજૂરી મળી ગઈ હતી. છેલ્લા દિવસોમાં ડિમેંશિયા અને હૃદયરોગની બીમારીથી લડી રહેલા દાશનું મોત અંતે એક વિદેશી તરીકે જ થયું અને તેમના જીવનની આ ઇચ્છા પૂરી ન થઈ.
I am Gujarat assam elderly man chandradhar das died at 104 year age as foreigner in hoping that after caa law modi governemtn solve his citizenship issu
જ્યાં પણ મોદીનો ફોટો જોતા હાથ જોડતા, ભારતીય બનાવાની આશામાં 104 વર્ષના ચંદ્રધર દાસનું નિધન


'મોદી અમારા ભગવાન'

ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ દાસની બેટી ન્યુતિ તે દિવસ યાદ કરે છે જ્યારે તેના ભાઈના ફોન પર ચંદ્રધર વડાપ્રધાન મોદીનું ભાષણ સાંભળતા હતા. પીએમ મોદીને સાંભળીને તેમના પિતાએ કહ્યું હતું કે "મોદી અમારા ભગવાન છે. તેઓ અહીં નાગરિકતા કાયદો લાવીને બધી સમસ્યાનું સમાધાન લાવશે. હવે આપણે બધા ભારતીય બની શકીશું.' ન્યુતિના પિતાને હંમેશાથી એક જ આશા હતી કે એક દિવસ તેમને ભારતીય નાગરિક્તા મળી જશે. તેઓ જ્યાં પણ મોદીનું પોસ્ટર જોતા હાથ જોડીને નમસ્કાર કરતા અને માથું નમાવતા હતા.

તેમની દીકરીએ વધુમાં આગળ કહ્યું કે, 'તેમને પીએમ મોદીથી ખૂબ આશા હતી. કાયદો તો બની ગયો તેને એક વર્ષ થઈ ગયું પરંતુ તેમના ભગવાને શું કર્યું?' તો બસ ફક્ત ભારતીય બનીને મરવા માગતા હતા. અમે ખૂબ જ પ્રયાસો કર્યા. એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં ભટક્યા. વકીલોથી લઈને સમાજીક કાર્યકર્તાઓ સુધી તમામને મળ્યા. તમામ જરુરી કાગળીયા જમા કર્યા. અને પછી તે ચાલ્યા ગયા. અમે હજુ પણ કાયદાની દ્રષ્ટીએ વિદેશી છીએ. નાગરિકાત કાયદાએ હજુ સુધી તો અમારા માટે કંઈ કામ કર્યું નથી.

કોંગ્રેસનો આરોપ, ભાજપની સફાઈ

ચંદ્રધરના મોત પર હવે રાજકરણ શરુ થઈ ગયું છે. કોંગ્રેસના સાંસદ સુષ્મિતા દેવે દાસના પરિવારની મુલાકાત લીધી અને નાગરિકતા કાયદાને ફક્ત વોટ બેંકનો જુમલો હોવાનું ગણાવ્યું હતું. તેમણે આરોપ મુક્યો કે ડિટેન્શન કેમ્પમાં મોકલવામાં આવેલ હિંદુ બંગાળીઓની ભાજપ કોઈ મદદ કરી રહ્યું નથી. તો ભાજપના સાંસદ રાજદીપ રાયે દાસના નિધન પર સાંત્વના આપતા કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે અને તેમણે બચાવ કરતા કહ્યું કે કોરોના મહામારીના કારણે નાગરિકતા કાયદાને લાગુ કરવાની પ્રક્રિયામાં મોડું થઈ રહ્યું છે.

શું છે 104 વર્ષના દાસની કહાની

ચંદ્રધર દાસના દીકરા ગૌરાંગે કહ્યું કે તેઓ અમને પૂર્વ પાકિસ્તાનથી કઈ રીતે જીવ બચાવીને ભારત આવ્યા તેની વાત કરતા હતા. ત્યાં બેફામ હત્યાઓ થઈ રહી હતી. તેથી તેઓ સીમા પાર કરીને ત્રિપુરા આવી ગયા હતા. આ 50-60ના દશકાની વાત છે. ત્રિપુરાથી દાસ ખૂબ જ આકરો પ્રવાસ જંગલોમાંથી થઈને આસામ પહોંચ્યા હતા. અહીં તેઓ નાનું મોટું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. એક દિવસ 2018માં કેટલાક અધિકારીઓએ તેમને ઘરેથી ઉઠાવી લીધી અને વિદેશીઓ માટે બનેલા ડિટેન્શન કેમ્પમાં નાખવામાં આવ્યા.

જૂન 2018માં દાસને જમીન મળી ગયા હતા, પરંતુ તેમના પરિવારમાં કેસ હજુ સુધી કોર્ટમાં ચાલી રહ્યો છે. પરિવારે જણાવ્યું કે જીવનના અંતિમ દિવસોમાં દાસ ડિમેંશિયાનો ભોગ બન્યા હતા. તેઓ ભાગ્યે જ કંઈ બોલતા હતા અને જ્યારે પણ બોલતા ત્યારે પોતાના કેસ અંગે પૂછતા,. તેમને લાગતું હતું કે મોદી સરકારે આને સોલ્વ કરી લીધું હશે. પરંતુ અમે તેમને કહી શકતા નહોતા કે કેસમાં હજુ કંઈ જ પ્રગતિ થઈ નથી. તેઓ મરતા પહેલા પોતે ભારતી નાગરીક તરીકે મરવા માગતા હતા. પરંતુ કાયદો હજુ લાગુ ન થયો હોવાથી તેમની ઈચ્છા અધુરી રહી ગઈ હતી.

Read Next Story