એપશહેર

કોરોના મહામારી વચ્ચે આ રાજ્યમાં ફેલાયો સ્વાઈન ફ્લૂ, 12 હજાર ભૂંડને મારવાનો આદેશ

દેશ એક તરફ કોરોના વાયરસ સામે લડી રહ્યો છે ત્યારે આ રાજ્યમાં નવી મુશ્કેલી સામે આવી છે

I am Gujarat 23 Sep 2020, 11:06 pm
ગુવાહાટીઃ દુનિયાભરમાં હાલમાં કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે. ભારત કોરોનાથી અસરગ્રસ્ત દેશોની યાદીમાં અમેરિકા બાદ બીજા ક્રમે છે. એક તરફ દેશના મોટા ભાગના રાજ્યો કોરોના સામે લડી રહ્યા છે તેવામાં આસામ નવા સંઘર્ષનો સામનો કરી રહ્યું છે. આસામમાં આફ્રિકન સ્વાઈન ફ્લૂ ફેલાઈ રહ્યો છે. સરકારે આફ્રિકન સ્વાઈન ફ્લૂથી અસરગ્રસ્ત વિસ્તારોમાં 12,000 ભૂંડને મારી નાંખવાનો આદેશ આપ્યો છે. રાજ્ય સરકારે બીમારીને ફેલાતી અટકાવવા માટે જારી કરેલા આદેશમાં કહ્યું છે કે અધિકારીઓ આવા પશુઓના માલિકોને યોગ્ય વળતર ચૂકવવાની વ્યવસ્થા કરે.
I am Gujarat assam to kill 12000 pigs as african swine fever spreads in state
કોરોના મહામારી વચ્ચે આ રાજ્યમાં ફેલાયો સ્વાઈન ફ્લૂ, 12 હજાર ભૂંડને મારવાનો આદેશ


18,000થી વધુ ઢોરના મોત

આસામ સરકાર તરફથી જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે જે વિસ્તારોમાં સ્વાઈન ફ્લૂની અસર જોવા મળી રહી છે ત્યાં રહેલા કુલ 12,000 જેટલા ભૂંડને મારી નાંખવામાં આવે. તેમણે આ માટે પશુ માલિકોને યોગ્ય વળતર ચૂકવવાનું પણ કહ્યું છે. સ્વાઈન ફ્લૂના કારણે અત્યાર સુધી આસામમાં 18,000થી વધુ ઢોરના મોત નીપજ્યા છે.

રાજ્યના 14 જિલ્લા અસરગ્રસ્ત થયા

રાજ્ય સરકારના એક નિવેદન અનુસાર, સ્વાઈન ફ્લૂથી રાજ્યના 14 જિલ્લા અસરગ્રસ્ત થયા છે. આ તમામ જિલ્લાના ત્રણ વિસ્તારોમાં અસરગ્રસ્ત પશુઓને મારવાનું કામ કરવામાં આવશે. આસામમાં કોરોના કાળ વચ્ચે સ્વાઈન ફ્લૂનો ચેપ રોકવા માટે સરકારે પ્રક્રિયા ઝડપી બનાવી છે. તેણે આદેશનું ઝડપથી પાલન કરવામાં આવે તેવું પણ કહ્યું છે.

ફેબ્રુઆરીમાં સામે આવ્યો હતો પ્રથમ કેસ

આફ્રિકન સ્વાઈન ફ્લૂ આસામમાં સૌથી પહેલા આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સામે આવ્યો હતો. રાજ્ય સરકારના પ્રવક્તાએ જણાવ્યું છે કે ચેપ છ જિલ્લામાંથી વધુ ત્રણ જિલ્લામાં ફેલાયો છે. જેમાં માજુલી, ગોલાઘાટ અને કામરૂપ મેટ્રોપોલિટનમાં ફેલાયો છે. શરૂઆતમાં રાજ્યના છ જિલ્લામાં આ ચેપ ફેલાયો હતો જેમાં દિબ્રુગઢ, શિવસાગર, જોરહાટ, ધેમાજી, લખીમપુર અને બિશ્વનાથ જિલ્લાનો સમાવેશ થાય છે.

Read Next Story