એપશહેર

હાઈકોર્ટના નિવૃત્ત મહિલા જજને ઊંચી પોસ્ટનું સપનું બતાવીને જ્યોતિષ 8 કરોડની ગેમ રમી ગયો

I am Gujarat 12 Jan 2021, 12:36 pm
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં પોલીસે એક જ્યોતિષની ધરપકડ કરી છે. સ્વયંભૂ જ્યોતિષ પોતાને ટોચના રાજનેતાઓ સાથે સંબંધો હોવાનો દાવો કરતો હતો. આવા ખોટા દાવાથી તેણે હાઈકોર્ટના નિવૃત્ત મહિલા જજ સાથે છેતરપિંડી કરી. તેણે જજ પાસેથી 8 કરોડ રૂપિયા પડાવી લીધા. જજની ફરિયાદ પર પોલીસે આ જ્યોતિષની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, 52 વર્ષના યુવરાજ રામદાસનો છેતરપિંડીનો ઈતિહાસ રહ્યો છે. રામદાસને પાછલા મહિને 68 વર્ષના સેવાનિવૃત્ત જજ ઈન્દ્રકલા બી.એક સાથે કથિત રૂપે કરેલી છેતરપિંડી માટે ધરપકડ કરી લેવાઈ છે.
I am Gujarat astro


રૂપિયા લઈને ન અપાવ્યું પદ
વિલ્સન ગાર્ડન પોલીસ સ્ટેશનમાં પૂર્વ જજે નોંધાયેલી ફરિયાદ મુજબ, યુવરાજે તેમને ભારતીય સેવામાં એક મોટું પ્રશાસનિક પદ અપાવવાનો વાયદો કર્યો હતો. આ બદલ યુવરાજે તેમની પાસેથી જૂન 2018 અને નવેમ્બર 2019 વચ્ચે લગભગ 8.27 કરોડ રૂપિયા લીધા. રૂપિયા લીધા બાદ પણ તે નિવૃત્ત જજને કોઈ પદ અપાવી શક્યો નહી.

નિવૃત્ત એસપીએ કરાવી હતી મુલાકાત
પોતાની ફરિયાદમાં નિવૃત્ત જજે કહ્યું કે, તેમને 2017-18માં એક નિવૃત્ત એસપીએ યુવરાજ ઉર્ફે સ્વામી સાથે મુલાકાત કરાવી હતી. એસપીએ કહ્યું હતું કે તેઓ સ્વામીને વર્ષ 2000થી ઓળખે છે.

ફરિયાદ અનુસાર, યુવરાજે કથિત રીતે દાવો કર્યો હતો કે તે ભવિષ્યની ભવિષ્યવાણી કરી શકે છે અને પૂર્વ જજને જણાવ્યું કે, તેમની કિસ્મતમાં દેશનું એક ઉચ્ચ પદ છે. તેણે કથિત રીતે દિલ્હીમાં ટોચના નેતાઓ સુધી પહોંચ હોવાનો દાવો કર્યો અને તેમને ઘણી બધી તસવીરો બતાવી જેમાં તે મોટા નેતાઓ સાથે નજર આવ્યો.

યુવરાજે નિવૃત્ત મહિલા જજે કહ્યું કે, કેન્દ્રિય નેતા ખાલી ઉચ્ચ પદ માટે તમારા જેવા યોગ્ય મહિલા ઉમેદવારને શોધી રહ્યા છે. યુવરાજે તેમને કહ્યું કે, આ પદ માટે તેમણે પાર્ટીને ફંડ આપવું પડશે. જેના બદલામાં તેણે તેમની પાસેથી રૂપિયા લીધા હતા.

સરકારી નોકરી અપાવવાનો પણ વાયદો કરતો
ધરપકડ બાદ જોઈન્ટ પોલીસ કમિશનર સંદીપ પાટિલે કહ્યું કે, યુવરાજે કેટલાક મહત્વપૂર્ણ વ્યક્તિઓને જાણવાનો ખોટો દાવો કર્યો હોવાની ફરિયાદ પર એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. તે લોકોને સરકારી નોકરી અપાવવા અને સરકારી કામ કરાવી આપવાનો દાવો કરતો હતો. તેના બદલામાં પૈસા વસૂલતો હતો.

91 કરોડ રૂપિયાના ચેક મળ્યા
સેન્ટ્રલ ક્રાઈમ બ્યૂરોએ આરોપીના ઘરની તપાસ માટે વોરંટ લીધું અને ત્યાં દરોડા પાડ્યા હતા. પાટિલે કહ્યું કે, દરોડામાં આરોપીના ઘરમાથી 91 કરોડ રૂપિયાના ચેક્સ મળી આવ્યા હતા, જે આરોપીના નામ પર આપવામાં આવ્યા હતા. જ્યારે 26 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે.

આગોતરા જામીન પર યુવરાજ બહાર હતોપોલીસે જણાવ્યું કે, એક સંપતિ વિવાદને સોલ્વ કરવા માટે યુવરાજે મુંબઈના વેપારી પાસેથી 10 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. તે આ મામલાઓમાં જૂન અને ડિસેમ્બર 2020માં આગોતરા જામીન મેળવી લીધા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો