એપશહેર

લદ્દાખમાં ચીનની આર્મી સાથેની અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ

Hitesh Mori | I am Gujarat 16 Jun 2020, 10:48 pm
નવી દિલ્હીઃ પૂર્વ લદ્દાખની ગલવાન વેલીમાં સોમવારે ચીનની સેના સાથેની અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા છે. ભારતીય સેનાએ મોડી સાંજે પુષ્ટિ કરી. સૂત્રોએ જણાવ્યું છે કે આ સંખ્યા હજુ પણ વધી શકે છે. એક દિવસ પહેલા એક ઓફિસર સહિત ત્રણ જવાનો શહીદ થયા હોવાના સમાચાર આવ્યા હતા. ત્યાર બાદ દિલ્હીમાં તાબડતોડ બેઠકો ચાલી રહી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે મંગળવારે બે વખત લદ્દાખની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ હાલની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી છે.ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
ભારત તરફથી કહેવામાં આવ્યું છે કે પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે અથડામણ ચીનની સેના દ્વારા LAC બદલવાનો પ્રયાસ કરતા થઈ હતી. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પૂર્વમાં જે સહમતી બની હી, તેના પર ચીની પક્ષએ ગંભીરતાથી પાલન કર્યું હોત તો આ અથડામણથી બચી શકાયું હોત.
તમને જણાવી દઈએ કે સોમવારે સાંજે થયેલી અથડામણમાં બંને પક્ષોને નુકસાન થયું છે. ભારતમાં 20 સૈનિકો શહીદના સમાચાર છે તો ચીનમાં ડબલ નુકસાન થયું છે. સમાચાર એજન્સી ANIના રિપોર્ટ મુજબ ચીનને મોટું નુકસાન થયું છે. તેમના 43 સૈનિકો ઈજાગ્રસ્ત થયા છે. જોકે ચીન તરફથી સત્તાવાર કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો