એપશહેર

પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેઈનો જન્મદિવસ, રાષ્ટ્રપતિ, પીએમ અને શાહે યાદ કર્યા

Tejas Jinger | I am Gujarat 25 Dec 2019, 10:26 am
નવી દિલ્હીઃ આજે દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈ (Atal Bihari Vajpayee)ની 95મી જન્મજયંતી છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે તેમને યાદ કર્યા છે. વડાપ્રધાન મોદી અને શાહે દિલ્હી સ્થિત સદૈવ અટલ સ્માકર પહોંચીને વાજપેઈને યાદ કર્યા. આ સિવાય લોકસભાના સ્પીકર ઓમ બિરલા, લાલકૃષ્ણ અડવાણી અને ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ સહિતના નેતાઓએ અટલ સ્મારક પહોંચીને પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. વડાપ્રધાન મોદી અટલ બિહારી વાજપેઈના નામે લખનૌમાં બનનારી મેડિકલ કૉલેજનો શિલાન્યાસ કરશે.
મહત્વનું છે કે, અટલ બિહારી વાજપેઈ એવા બિન કોંગ્રેસી નેતા હતા જેમણે વડાપ્રધાન તરીકે 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. કેન્દ્રમાં વડાપ્રધાન મોદીની સરકાર આવ્યા બાદ 2015માં વાજપેઈ અને મદન મોહન માલવીયને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યાહતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો