દીપક.કે દાસ, નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાહન પર 14 કલાક માટે જનતા કર્ફ્યુનું કાઉન્ટડાઉન નજીક આવી ગયું છે. તેને સફળ બનાવવા માટે ચારેય તરફથી સમર્થનની જાહેરાત થવા લાગી છે. એક બાજુ રેલવેએ રવિવારે દેશભરમાં 3700 ટ્રેનો કેન્સલ કરવાની જાહેરાત કરી છે, તો બીજી તરફ દેશની બે વિમાન કંપનીઓ ઈન્ડિગો અને ગોએરે પણ 1000 ફ્લાઈટ કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:રેલવેની જાહેરાત મુજબ, રવિવારે કેન્સલ થનારી ટ્રેનોમાં પેસેન્જર ટ્રેન સાથે લાંબા અંતરની મેલ અને એક્સપ્રેસ ટ્રેનો સામેલ હશે. રેલવે મુજબ, ‘શનિવાર અને રવિવાર દરમિયાન રાત્રે 10 વાગ્યાથી દેશના કોઈપણ સ્ટેશનથી કોઈ પેસેન્જર કે એક્સપ્રેસ ટ્રેન નહીં દોડ.’ રેલવે બોર્ડે શુક્રવારે જાહેર કરેલા એક આદેશમાં કહ્યું કે, મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નઈ અને સિકંદરાબાદમાં રેલવે સેવાઓમાં મોટો ઘટાડો થશે અને એટલી જ ટ્રેનો ચલાવવામાં આવશે જેનાથી જરૂરી મુસાફરી શક્ય હોય. રેલવે બોર્ડે રેલવે ઝોનને આ નિર્ણય લેવાનો અધિકારી આપ્યો છે કે તે રવિવારે ઓછામાં ઓછી ટ્રેનો ચલાવે.કુલ 3700 ટ્રેનો કેન્સલ થશેપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ પર રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં રવિવારે, 22 માર્ચે જનતા કર્ફ્યુની જાહેરાત કરી હતી. તેમણે લોકોને રવિવારે સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી ઘરમાં જ રહેવાની અપીલ કરી હતી. કહેવાઈ રહ્યું છે કે જનતા કર્ફ્યુ દ્વારા સરકાર જોવા ઈચ્છે છે કે કોરોનાની અસર વધવા પર લોકડાઉનની સ્થિતિ માટે દેશ તૈયાર છે કે નહીં. હવે જ્યારે રેલવેએ આટલી મોટી જાહેરાત કરી દીધી છે તો અટકળોને વધારે જોર મળ્યું છે.રેલવે બોર્ડ તરફથી જાહેર કરાયેલા આદેશ મુજબ, રવિવારે 2400 ટ્રેનો રદ કરવામાં આવશે. જોકે રવિવારે જે પેસેન્જર ટ્રેનો 7 વાગ્યે દોડી રહી હશે તેને ગંતવ્ય સુધી પહોંચવા દેવામાં આવશે. જે ટ્રેનોમાં મુસાફરોની સંખ્યા ખૂબ જ ઓછી હશે તેને અધવચ્ચે જ રોકી દેવામાં આવશે. આદેશ અનુસાર લાંબા અંતરની મેલ/એક્સપ્રેસ ટ્રેનો રવિવારે સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી બંધ રહેશે. અનુમાન છે કે રવિવારે 1300 મેલ/એક્સપ્રેસ ટ્રેનો કેન્સલ થશે.1000 ફ્લાઈટ કેન્સલ કરાશેબીજી તરફ બે વિમાન કંપનીઓ ઈન્ડિગો અને ગોએરે પણ જનતા કર્ફ્યુનું સમર્થન કર્યું છે. એક તરફ ગોએરે પોતાની ડોમેસ્ટિક ઉડાણ કેન્સલ કરવાનો નિર્ણય કર્યો છે તો ઈન્ડિગોએ પણ માત્ર 40 ટકા ઉડાણો ચાલુ રાખવાની વાત કહી છે. અંદાજ છેકે બંને કંપનીઓના આ નિર્ણયથી રવિવારે લગભગ 1 હજાર ફ્લાઈટ રદ કરવામાં આવશે. જોકે બંને કંપનીઓએ હજુ સુધી ઉડાણ કેન્સલ કરવા પર પેસેન્જરને ટિકિટનું રિફન્ડ આપવા મુદ્દે કોઈ આશ્વાસન આપ્યું નથી.પેસેન્જરોની સુવિધાઓનું રખાશે ધ્યાનપેસેન્જરોની સુવિધાનું ધ્યાન રાખવા બધા રેલવે ઝોનને આદેશ કર્યો છે. જેમાં સ્ટેશન પર આવતા પેસેન્જરોને કોઈ મુશ્કેલી ન થાય, તથા જે લોકો સ્ટેશન પર રોકાવા ઈચ્છે છે તેમને વેઈટિંગ હોલ, વેઈટિંગ રૂમ વગેરેમાં રોકોવાની વ્યવસ્થા કરી આપવા કહેવાયું છે. ઉપરાંત ટ્રેન કેન્સલેશન પર કોઈપણ મુશ્કેલ વિના ટિકિટનું રિફંન્ડ આપવા કહેવાયું છે. જો ડિવિઝનલ મેનેજરને લાગે કે સ્ટેશન પર વધારે લોકો જમા થઈ રહ્યા છે અને તેમના માટે સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જરૂર છે તો આ માટે તે આદેશ આપી શકે છે.બીજી તરફ IRCTCએ પોતાના જાહેર કરેલા આદેશમાં પાંચ ગ્રુપ જનરલ મેનેજરોને ફૂડ પ્લાઝા, રિફ્રેશમેન્ટ રૂમ, જન આહાર અને સેલ કિચનોને રવિવારથી આગામી આદેશ સુધી બંધ રાખવા કહ્યું છે. ઉપરાંત મેઈલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં કેટરિંગ સર્વિસ પણ બંધ રાખવાનો આદેશ કરાયો છે.