એપશહેર

સિદ્ધુએ પંજાબમાં 'આવાજ-એ-પંજાબ' પાર્ટી લોન્ચ કરી

I am Gujarat 8 Sep 2016, 3:56 pm
ચંદીગઢ: રાજ્ય સભાના સભ્યપદેથી રાજીનામુ આપનારા પૂર્વ બીજેપી નેતા નવજોત સિંહ સિદ્ધુએ ગુરુવારે વિધાનસભા ચુંટણી પહેલા પંજાબમાં આવાજ-એ-પંજાબ નામની નવી પાર્ટી લોન્ચ કરી છે. લોન્ચિંગ સમયે પ્રેસ કોન્ફરન્સમાં સિદ્ધુએ રાજ્યની અકાલી દળ અને બીજેપી સરકારથી લઈને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યા છે.
I am Gujarat awaaz e punjab is the resurrection redemption of punjab which is in dire strait navjot singh sindhu in chandigarh
સિદ્ધુએ પંજાબમાં 'આવાજ-એ-પંજાબ' પાર્ટી લોન્ચ કરી


બાદલ સરકાર પર નિશાન સાધતાં સિદ્ધુએ પોતાના અંદાજમાં કહ્યુ કે, કાળા વાદળ મંડરાઈ રહ્યા છે. સૂરજને નીકળવા નથી દેવાતો. હવે કાળા વાદળ ચીરીને સૂરજ નીકળવો જોઈએ. આ વાતાવરણ હવે બદલાવુ જોઈએ. સિદ્ધુએ બીજેપી પર પણ પ્રહાર કર્યા હતા અને કહ્યું કે, 200 જેટલી રેલીઓ મેં કરી અને જ્યારે કામ પતી ગયું તો મને ભુલાવી દીધો.

ચંદીગઢમાં પૂર્વ હોકી ખેલાડી પરગટ સિંહ અને બૈંસ ભાઈઓ સાથે પ્રેસ કોન્ફરન્સની શરુઆત કરતાં સિદ્ધુએ કહ્યું કે દરેક કામ કોઈ હેતુ સાથે થાય છે. આવાજ-એ-પંજાબનો હેતુ બેહાલ પંજાબને ખુશ કરવાનો છે. જુલ્મ કરવો પાપ છે, અને તેને સહન કરવું તેનાથી પણ મોટો પાપ છે. હરિયાળી ક્રાંતિ વાળું પંજાબ અત્યારે દેવામાં ડુબેલુ છે. અમારી લડાઈ એ સિસ્ટમ સાથે છે જેમણે પંજાબનો નાશ કર્યો છે. આપણે સાથે મળીને પંજાબને બદલવાની જરુર છે. પંજાબને બદલવાની ઈચ્છા જેની હોય તે બધા નેતાઓ સાથે મળો. લોકોની સરકાર લોકો માટે હોવી જોઈએ, પણ આ સરકાર એક પરિવાર માટે જ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો