એપશહેર

અયોધ્યા કેસના ચુકાદા સામે રિવ્યુ પિટિશન નહીં કરે સુન્ની બોર્ડ

વિપુલ પટેલ | I am Gujarat 26 Nov 2019, 5:59 pm
નવી દિલ્હી: અયોધ્યા મામલા પર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સુન્ની વકફ બોર્ડએ પુનર્વિચાર માટે અપીલ ન કરવાનો નિર્ણય લીધો છે. વકફ બોર્ડના આ નિર્ણયથી શાંતિપૂર્ણ માહોલમાં રામ મંદિરના નિર્માણનો રસ્તો ખુલ્લો થતો દેખાઈ રહ્યો છે. સુન્ની વકફ બોર્ડના સભ્ય અબ્દુલ રઝ્ઝાક ખાને કહ્યું કે, અમારી મીટિંગમાં બહુમતીથી રિવ્યુ પિટિશન ન કરવાનો પ્રસ્તાવ પસાર થયો છે. જોકે, આ બેઠકમાં સુપ્રીમ કોર્ટ તરફથી મસ્જિદ નિર્માણ માટે 5 એકર જમીન માટે અપાયેલા આદેશને લઈને કોઈ ચર્ચા નથી થઈ. ઉલ્લેખનીય છે કે, બોર્ડે પહેલા પણ પોતાની તરફથી જારી કરાયેલા નિવેદનોમાં કહ્યું હતું કે, તે આ મામલા પર રિવ્યુ પિટિશનના પક્ષમાં નથી.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficialઆ પહેલા દેશની 100 દિગ્ગજ મુસ્લિમ હસ્તીઓએ પણ રિવ્યુ પિટિશન ફાઈલ કરવાનો વિરોધ કર્યો હતો. રિવ્યુ પિટિશન દાખલ કરવાનો વિરોધ કરનારી હસ્તીઓમાં નસરુદ્દીન શાહ, શબાના આઝમી જેવા ફિલ્મ કલાકારો પણ સામેલ હતા. જોકે, મુસ્લિમ પર્સનલ લો બોર્ડએ ગત દિવસોમાં લખનૌમાં પોતાની મીટિંગમાં રિવ્યુ પિટિશન દાખલ કરવાની વાત કહી હતી.
ઉલ્લેખનીય છે કે, 9 નવેમ્બરે 70 વર્ષથી અયોધ્યા મામલા પર ચાલી રહેલા કેસનો ઐતિહાસિક ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન રામ મંદિર માટે આપવાનું ઠેરવ્યું હતું. તે ઉપરાંત મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ બીજી કોઈ જગ્યાએ 5 એકર જમીન આપવાનો આદેશ આપ્યો હતો. ત્યારે સુન્ની વકફ બોર્ડએ આ ચુકાદા સામે રિવ્યુ પિટિશન પર નિર્ણય લેવા માટે 26 નવેમ્બરની તારીખ નક્કી કરી હતી.
લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો