એપશહેર

પ્રયાગરાજમાં બાબાએ ધારણ કરી રુદ્રાક્ષની 11 હજારથી વધુ માળા, 40 કિલો છે વજન

આ રુદ્રાક્ષની માળા 101, 11, 51 રુદ્રાક્ષની બનેલી છે. આ બાબાના મસ્તક પર 101 કરતા વધારે રુદ્રાક્ષની માળા છે.

I am Gujarat 30 Jan 2021, 4:04 pm
પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ: અહીં શિવ યોગી મૌની મહારાજને રુદ્રાક્ષવાળા બાબાના નામથી ઓળખવામાં આવે છે. આ બાબા પોતાના શરીર પર 11 હજાર કરતા વધારે રુદ્રાક્ષની માળા પહેરીને મેળામાં નીકળે ત્યારે તેઓને જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ જાય છે. આ વખતે કોરોના વાયરસની મહામારીના કારણે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના મેળામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી નથી. પણ, આ મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે રુદ્રાક્ષવાળા બાબા એટલે કે મૌની બાબા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
I am Gujarat q2


પોતાના શરીર પર મૌની બાબાએ 11 હજાર કરતા પણ વધારે રુદ્રાક્ષ ધારણ કર્યા છે. તેઓના આખા શરીર પર એક રુદ્રાક્ષની લગભગ 11 હજાર કરતા વધારે માળા છે. આ રુદ્રાક્ષની માળા 101, 11, 51 રુદ્રાક્ષની બનેલી છે. આ બાબાના મસ્તક પર 101 કરતા વધારે રુદ્રાક્ષની માળા છે.

જો આ બાબાનું માનીએ તો રુદ્રાક્ષની દરેક માળા બાબાના સંકલ્પ સાથે જોડાયેલી છે. આ મૌની બાબા ઉર્ફે રુદ્રાક્ષવાળા બાબા શરીર પર ધારણ રુદ્રાક્ષની માળા ક્યારેય ખરીદતા નથી પણ સાધુ સંતો અને મહાત્મા દ્વારા તેઓને ભેટ આપવામાં આવી છે. રુદ્રાક્ષવાળા બાબાના મસ્તક, પગ, હાથ, કમર, ગળા પર રુદ્રાક્ષ જોવા મળી રહ્યા છે. મૌની બાબાની ખાસિયત એ છે કે આ રુદ્રાક્ષની માળાઓનું વજન 40 કિલોગ્રામ કરતા વધારે છે અને બાબાને સ્નાન કર્યા પછી આ માળા પહેરવામાં લગભગ અડધો કલાકનો સમય લાગે છે. આ બાબા દરરોજ રુદ્રાક્ષની આ માળા ધારણ કરે છે. જેટલો સમય રુદ્રાક્ષની આ માળા ધારણ કરવામાં લાગે છે તેટલો જ સમય રુદ્રાક્ષની આ માળા ઉતારવામાં પણ લાગે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો