એપશહેર

પહેલા એલોપેથી પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું, હવે કોરોનાની રસી લેશે રામદેવ

એલોપેથી સારવાર પર નિવેદન આપીને મોટા વિવાદમાં ફસાયા હતા બાબા રામદેવ, હવે પોતે કરી રહ્યા છે લોકોને રસી લેવાની અપીલ.

I am Gujarat 10 Jun 2021, 12:09 pm

હાઈલાઈટ્સ:

  • ટુંક સમયમાં રસી લેવાની રામદેવની જાહેરાત.
  • લોકોને પણ રસી લેવાની રામદેવે અપીલ કરી.
  • એલોપેથી પર આપ્યુ હતું વિવાદાસ્પદ નિવેદન.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat baba ramdev
હરિદ્વાર- એલોપથી પર વિવાદાસ્પદ નિવેદન આપીને ફસાયેલા બાબા રામદેવે જાહેરાત કરી છે કે તેઓ ટુંક સમયમાં કોરોનાની રસી મુકાવશે. આ સાથે જ રામદેવે કોરોનાની રસી લેવાની લોકોને પણ અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ એલોપેથી પર વિવાદાસ્પદ નિવેદન આપવાને કારણે બાબા રામદેવનો જબરદસ્ત વિરોધ થયો હતો, પછી તેમણે પોતાનું નિવેદન પાછું લઈ લીધુ હતું.
બાબા રામદેવ મુશ્કેલીમાં, IMAની બિહારથી એક સાથે 105 કેસ દાખલ કરવાની તૈયારી
રામદેવે હરિદ્વારમાં જણાવ્યું કે, કોરોનાને કારણે ઉભી થતી અન્ય સમસ્યાઓથી યોગ આપણને બચાવી શકે છે, માટે યોગનો અભ્યાસ ચોક્કસપણે કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 જૂનથી દેશમાં 18 વર્ષથી વધારે ઉંમર ધરાવતા તમામ લોકો માટે વિનામૂલ્યે રસીનું વિતરણ કરવાની જાહેરાત કરી છે.

મારી લડાઈ એમની સાથે જે 2 રૂપિયાની દવા 10 હજારમાં વેચે છેઃ રામદેવ
નોંધનીય છે કે એલોપેથી પર આપવામાં આવેલા નિવેદનને કારણે ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ અસોસિએશન દ્વારા બાબા રામદેવને નોટિસ મોકલવામાં આવી હતી અને તેમની પાસેથી જવાબ માંગવામાં આવ્યો હતો. આ નોટિસના જવાબમાં રામદેવે કહ્યુ હતું કે, હું મારું નિવેદન પાછું લઈ ચુક્યો છું, માટે નોટિસમાં કોઈ દમ જ નથી. મારા નિવેદનને સંદર્ભ વગર રજૂ કરવામાં આવી રહ્યું છે. મેં માત્ર પ્રેક્ટિકલ સારવારના વધારે પડતા ઉપયોગ પર પ્રશ્ન કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે રામદેવાના નિવેદન પર ઈન્ડિયન મેડિકલ અસોસિએશને પણ જબરદસ્ત વિરોધ નોંધાવ્યો હતો. ત્યારપછી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધનના કહેવા પર રામદેવે પોતાનું નિવેદન પાછુ ખેંચવુ પડ્યુ હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો