એપશહેર

રામદેવ બોલ્યા, 'સન્યાસીને પણ આપો ભારતરત્ન!'

Shailesh Thakkar | I am Gujarat 26 Jan 2019, 10:17 pm
I am Gujarat baba ramdev demands bharat ratna for any sanyasi in near future
રામદેવ બોલ્યા, 'સન્યાસીને પણ આપો ભારતરત્ન!'


ભવિષ્યમાં આવું થાય તેવી યોગગુરુની ઈચ્છા

દેશના 70મા પ્રજાસત્તાક દિવસે બાબા રામદેવે તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવતા ભારત સરકારને આગ્રહ કર્યો કે, ભવિષ્યમાં કોઈ સન્યાસીને પણ ભારતરત્ન આપવામાં આવે. રામદેવે કહ્યું કે, ‘2019ની ચૂંટણી મહાસંગ્રામ છે. કોઈપણ રાજકીય પાર્ટી જાતિઓમાં વહેંચીં ન જાય. આજે દેશને શૈક્ષણિક, આર્થિક, મેડિકલ અને અન્ય ગુલામીઓમાંથી આઝાદી અપાવવા માટે બધા આજે સંકલ્પ લે.’

પ્રણવ મુખર્જીને શુભેચ્છાઓ આપી

બાબાએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને ભારતરત્ન મળવા પર શુભેચ્છા પાઠવી. આ અગે બાબા રામદેવનું કહેવું છે કે, ‘મુખર્જીને ભારતરત્ન મળવાથી ભારતરત્ન પણ ગૌરવાન્વિત થયો છે. સરકારે પૂર્વ રાષ્ટ્રપતિને આ એવોર્ડ આપી યોગ્ય કામ કર્યું છે.’

સંન્યાસીઓને પણ ભારતરત્ન આપવાની માગણી

રામદેવે કહ્યું કે, ‘છેલ્લા 70 વર્ષોમાં કોઈપણ સન્યાસીને ભારતરત્ન મળ્યો નથી. કોઈ સન્યાસી એવા છે, જેમણે ભારતરત્ન મેળવવા માટે અભૂતપૂર્વ કામ કર્યા છે. આ દુર્ભાગ્ય છે કે, કોઈ સન્યાસીને આજ સુધી આ એવોર્ડથી સન્માનિત કરાયા નથી.’ બાબાએ આગ્રહ કર્યો કે, ભવિષ્યમાં કોઈ સન્યાસીને પણ આ સન્માન આપવામાં આવે.

8 હજાર કર્મચારી-વિદ્યાર્થીઓ સાથે કર્યું ધ્વજવંદન

યોગગુરુએ શનિવારે ભારતના 70મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે હરિદ્વાર સ્થિત પતંજલિ ફેઝ-1માં 108 ફૂટ ઊંચા વિશાળ તિરંગાનું ધ્વજારોહણ કર્યું. આ નિમિત્તે આચાર્ય બાલકૃષ્ણ અને પતંજલિ પરિવારના આશરે 8 હજાર કર્મચારી તથા વિદ્યાર્થીઓ હાજર હતા. આ દરમિયાન રામદેવે કહ્યું કે, ભારતને આર્થિક અને રાજકીય આઝાદી મળવાની બાકી છે.

અયોધ્યામાં રામ મંદિર બનાવવાની માંગ

બાબાએ લોકોની આસ્થાને જોતા ટૂંક સમયમાં અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવાની માગણી કરી છે. તેમણે 2019ની ચૂંટણી પહેલા ભારતીય શિક્ષણ બોર્ડ બનાવવાની વાત કરી. રામ મંદિર નિર્માણમાં થઈ રહેલા વિલંબ અંગે તેમણે કહ્યું કે, ‘ભગવાન રામ રાજકીય મુદ્દો નથી. ન તો કોઈ પાર્ટી વૉટબેંક અને ન કોઈ ધાર્મિક મુદ્દા છે. રામ આ દેશના સ્વાભિમાન છે અને આ દેશમાં રહેનારા દરેક વ્યક્તિનું આચરણ પણ છે. રામજીને આ દેશમાં સન્માન મળવું જોઈએ અને જે પણ કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે, તેને જલ્દીથી પૂર્ણ કરી એક ભવ્ય મંદિરનું નિર્માણ કરવું જોઈએ.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો