એપશહેર

સુરતથી મુંબઈ જતી ફ્લાઇટમાં 4 મહિનાની બાળકીનું થયું મોત

Mitesh Purohit | TNN 16 Nov 2019, 9:46 am
મુંબઈઃ શુક્રવારે સુરતથી મુંબઈ જતી સ્પાઇસજેટની ફ્લાઈટમાં એક 4 મહિનાની બાળકી ઓનબોર્ડ મૃત્યુ પામી હતી. પોતાની માતા પ્રીતિ જિંદાલ અને દાદા-દાદી સાથે પ્રવાસ કરી રહેલી 4 વર્ષની રિયા ફ્લાઈટમાં પ્રવાસ દરમિયાન જ ઉંઘમાં બેભાન થઈ ગઈ હતી. જેની પરિવારને પણ ખબર પડી નહોતી. જેથી તેમણે મુંબઈમાં ફ્લાઈટ લેન્ડ થતા જ ક્રુ મેમ્બરને આ અંગે જાણ કરતા પ્લેનના પાર્કિંગ બેમાં જ તેમને તાત્કાલીક મેડિકલ સહાય આપવામાં આવી હતી.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:જોકે એરપોર્ટ પર CPR આપ્યા છતા બાળકીએ કોઈ રિસ્પોન્સ ન આપતા તેને તરત નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેને મૃત જાહેર કરાઈ હતી. એરપોર્ટના અધિકારીએ કહ્યું કે, ‘બાળકીને નાણાંવટી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ એડમિટ કરતા પહેલા જ હોસ્પિટલ્સના ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધી હતી.’સૂત્રો મુજબ ત્યારબાદ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડો. આર.એન. કૂપર મ્યુનિસિપલ હોસ્પિટલ લઈ જવાઈ હતી જોકે પોસ્ટમોર્ટમમાં પણ મૃત્યુનું કારણ જાણી શકાયું નથી. જેથી તેના બોડી ટિશ્યુને વધુ તપાસ માટે જેજે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. જ્યારે સહાર પોલીસે અકસ્માત મૃત્યુનો કેસ નોંધ્યો છે.મહત્વનું છે કે ફ્લાઇટમાં 2 સપ્તાહથી મોટા બાળકની હેલ્થ સારી હોય તો પ્રવાસની મંજૂરી આપવામાં આવે છે.Video: રસગુલ્લા દિવસની ઉજવણી

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો