એપશહેર

7 મહિનાની નૂર જિંદગીની જંગ હારી, ઈંજેક્શન માટે ₹ 16 કરોડ ભેગા થાય એ પહેલા જ આંખ મીંચી

SMA ટાઈપ-1થી પીડાતી 7 મહિનાની નૂરનું નિધન થયું. દીકરીના સારવાર માટે માતાપિતા 16 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરી રહ્યા હતા. તેના માટે અમેરિકાથી ઈંજેક્શન મગાવાનું હતું.

Authored bySyed Intishab Ali | Edited byશિવાની જોષી | TNN 15 Jun 2021, 4:03 pm
જયપુર: બિકાનેરની સાત મહિનાની બાળકી નૂર ફાતિમા કરોડરજ્જુની દુર્લભ બીમારીથી પીડાતી હતી. નૂરની સારવાર માટે 16 કરોડ રૂપિયાના ઈંજેક્શનની જરૂર હતી, જે યુએસથી મગાવાનું હતું અને આ માટે તેના માતાપિતા ભંડોળ એકત્ર કરી રહ્યા હતા. જોકે, હવે આઘાતનજનક સમાચાર આવ્યા છે. સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) ટાઈપ-1થી પીડાતી નૂરનું મંગળવારે સવારે નિધન થયું છે.
I am Gujarat noor fatima
નૂર ફાતિમા (તસવીર સૌજન્ય- TOI)


નૂરના પિતા ઝિશાન અહેમદે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું, "પરોઢિયે ચાર વાગ્યા સુધી નૂર એકદમ સ્વસ્થ હતી. તે ઉઠી અને તેણે દૂધ પીધું હતું. જે બાદ સવારે 7 વાગ્યાની આસપાસ અમે તેને જગાડવાની કોશિશ કરી ત્યારે તેના શ્વાસ નહોતા ચાલતા. અમે તેને લઈને તાત્કાલિક દવાખાને દોડ્યા હતા અને ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી."
ચોરી કરવા ઘૂસ્યો પણ બાથરુમમાં શાવર જોઈ નહાવા બેઠો, માલિકે પોલીસ બોલાવી પકડાવ્યો

તાજેતરમાં જ હૈદરાબાદના એક બાળકને લોકો પાસેથી ભંડોળ એકત્ર કરીને 16 કરોડનું ઈંજેક્શન આપી શકવામાં સફળતા મળી હતી. આ બાળક પણ SMA ટાઈપ-1થી પીડાતો હતો. આ જોઈને નૂરના પરિવારમાં પણ આશા જાગી હતી કે, તેઓ પોતાની દીકરીની સારવાર કરાવી શકશે.

"નૂરની સારવાર માટે અમને સહયોગ આપનારા અને દાન કરનારા તમામ લોકોનો આભાર માનું છું. અમે આશરે 40 લાખ રૂપિયા જેટલું ભંડોળ ભેગું કર્યું છે. જોકે, ચોક્કસ આંકડો મારે દાતાઓ પાસેથી જાણવો પડશે. અમે નૂરની સારવાર માટે ભંડોળ દ્વારા જે પણ રૂપિયા એકઠા કર્યા છે તે હું જે-તે વ્યક્તિને પરત આપી દઈશ. અમે દિવસના સ્લોટ નક્કી કરીશું અને તે પ્રમાણે રૂપિયા પાછા આપીશું. જો કોઈ વ્યક્તિ પોતાના રૂપિયા પરત લેવા ના આવી શકી તો અમે તે રકમ બાળકોની સારવાર માટે કામ કરતાં ટ્રસ્ટમાં જમા કરાવી દઈશું", તેમ ઝિશાન અહેમદે જણાવ્યું.

મહત્વનું છે કે, નૂરના શરીરના નીચલો ભાગ ધીમે-ધીમે નબળો પડી રહ્યો હતો અને હલનચલન પણ બંધ થઈ રહી હતી. ડૉક્ટરોએ તેના પરિવારને ઝોલજેન્સમા (Zolgensma) ઈંજેક્શનની વ્યવસ્થા કરવાની કહ્યું હતું, જેની કિંમત 16 કરોડ રૂપિયા છે.

39 પત્ની અને 90 બાળકોના પિતા જિયોના ચાના જીવિત હોવાનો દાવો, પરિવાર અંતિમ સંસ્કાર માટે તૈૈયાર નહીં

નૂરના પિતા ઝિશાન અહેમદ વ્યવસાયે પેઈન્ટર છે અને દર મહિને 10,000થી 15,000 રૂપિયા કમાય છે. શરૂઆતમાં નૂરની સારવાર માટે રૂપિયા એકત્ર કરવાનું કામ તેમને અશક્ય લાગતું હતું પરંતુ નૂર જેવી જ બીમારી પીડાતા બાળકોના પેરેન્ટ્સ તરફથી તેમને જાણવા મળ્યું કે, ક્રાઉડફંડિગ દ્વારા ઝોલજેન્સમા ઈન્જેક્શનની વ્યવસ્થા થઈ શકી છે ત્યારે ઝિશાન અહેમદે પણ હિંમત ભેગી કરી. તેમણે પોતાના પાડોશીઓ, સંબંધીઓ અને કેટલાક સામાજિક કાર્યકર્તાઓની મદદથી પોતાની દીકરીને બચાવા ભંડોળ એકત્ર કરવાનો નિર્ણય કર્યો હતો.

Read Next Story