એપશહેર

કોરોનાને નિયંત્રિત કરવામાં 'પછાત' રાજ્યોએ 'વિકસિત' રાજ્યોને પાછળ છોડી દીધા

'પછાત' માનવામાં આવતા કેટલાક રાજ્યોએ કોરોનાને પહોંચી વળવા ઘણા 'વિકસિત' રાજ્યોને પાછળ છોડી દીધા છે. આવા રાજ્યોમાં પોઝિટિવિટી રેટ 2 ટકા કરતા પણ ઓછો.

I am Gujarat 20 Oct 2020, 12:50 pm
પ્રદીપ ઠાકુર, નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના 7.5 મિલિયનથી વધુ કેસ નોંધાયા છે. જો આપણે રાજ્ય મુજબ આંકડા જોઈએ તો વિકસિત કરતા 'પછાત' તરીકે ઓળખાતા રાજ્યોને કોરોનાને મ્હાત આપવામાં વધુ સફળતા મળી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને આસામ એવા રાજ્યો છે જ્યાં કોવિડનો પોઝિટિવિટી રેટ 2% કરતા ઓછો છે. પોઝિટિવિટી રેટ એટલે પ્રતિ 100 પરીક્ષણો દીઠ પુષ્ટિ થયેલ કેસોની સંખ્યા હોય છે જે 14 દિવસના અંતરાલમાં માપવામાં આવે છે. આ એક એવી ઉપલબ્ધિ છે જે આ રાજ્યો કરતા વધુ 'વિકસિત' રાજ્યો પ્રાપ્ત કરવાથી ઘણા દૂર છે. કોરોનાના ટેસ્ટની વાત કરવામાં આવે તો 14 દિવસના ડેટા મુજબ યુપી અને બિહારમાં કોરોનાના સૌથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ડેટા મુજબ ગુજરાત, પંજાબ, તેલંગાણા અને હરિયાણા સંક્રમણ પર નિયંત્રણ મેળવી રહ્યા છે.
I am Gujarat backward states left developed states behind in controlling coronavirus
કોરોનાને નિયંત્રિત કરવામાં 'પછાત' રાજ્યોએ 'વિકસિત' રાજ્યોને પાછળ છોડી દીધા


યુપી અને બિહારમાં સૌથી વધુ ટેસ્ટ

મહારાષ્ટ્ર અને કેરળ જેવા હોટસ્પોટ્સ કરતા આ રાજ્યો સ્ક્રીનિંગ પણ વધારે કરી રહ્યા છે. મતલબ કે વધતા જતા પરીક્ષણનાં સ્તરને કારણે વધુ કેસો આવશે, પરંતુ જો લાંબા ગાળે જોશું તો કાળજીપૂર્વક કોન્ટેક્ટ ટ્રેસિંગ અને કન્ટેનમેન્ટમાં સંક્રમણને મોટા પ્રમાણમાં નિયંત્રિત કરી શકાય છે. 14 દિવસના ડેટા પર નજર કરીએ તો બિહારમાં દિલ્હી કરતા લગભગ બમણી ટેસ્ટ થઈ રહ્યા છે. દેશમાં સૌથી વધુ ટેસ્ટ ઉત્તર પ્રદેશમાં થઈ રહ્યા છે. યુપી મહારાષ્ટ્ર કરતા દરરોજ બમણા ટેસ્ટ કરે છે. છેલ્લા બે અઠવાડિયામાં ઉત્તર પ્રદેશના વહીવટીતંત્રે 21 લાખ ટેસ્ટ રેકોર્ડ કર્યા છે જ્યારે બિહારમાં લગભગ 14 લાખ ટેસ્ટ થયા છે.

ગ્રીન ઝોનમાં છે નવ રાજ્યો

કોઈ રાજ્ય કોરોના સામેની લડતમાં કેવું કામ કરે છે તેનો પોઝિટિવિટી રેટ પરથી અંદાજ લગાવી શકાય છે. 14 દિવસના સમયગાળામાં પોઝિટિવિટી રેટ 5 ટકાથી ઓછો હોય તો તે રાજ્યના ગ્રીન ઝોન માનવામાં આવે છે. ત્યારબાદ તે રાજ્ય લોકડાઉનના નિયમો હળવા કરી શકે છે. 5થી વધુ પોઝિટિવિટી રેટ ધરાવતા રાજ્યોને રેડ ઝોનમાં આવે છે. વધુ પોઝિટિવિટી રેટનો અર્થ એ છે કે, ફક્ત સૌથી વધુ બીમાર લોકોનો જ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે અને મોટા પ્રમાણમાં સંક્રમિત વસ્તીનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું નથી. ડેટા બતાવે છે કે, ગુજરાત, પંજાબ, તેલંગાણા અને હરિયાણા સંક્રમણ પર નિયંત્રણ મેળવી રહ્યા છે. છેલ્લા એક મહિનાથી ગુજરાતનો પોઝિટિવિટી રેટ 2 ટકા રહ્યો છે, જ્યારે પંજાબ તેને 5થી ઘટાડીને 2.4 ટકા કરવામા સફળ રહ્યું છે. તેલંગાણા અને હરિયાણામાં પણ પોઝિટિવિટી રેટ 4 ટકા કરતા ઓછો છે.

મહારાષ્ટ્ર ડેન્જર ઝોનમાં

જો 10 લાખ વસ્તી દીઠ ટેસ્ટની સંખ્યા પર નજર કરીએ તો દિલ્હી ટોચ પર છે. અહીં દર 10 લાખમાંથી 1,17,890 પરીક્ષણ કરવામાં આવ્યા છે જ્યારે આસામમાં આ આંકડો 81,961 છે. બિહારમાં 10 લાખ વસ્તી દીઠ 43,754 પરીક્ષણો છે, ઝારખંડમાં 41,886, યુપીમાં 35,898. મહારાષ્ટ્રમાં આ આંકડો 43,494 છે. 14 દિવસના અંતરાલમાં પોઝિટિવિટી રેટનું વિશ્લેષણ સૂચવે છે કે મહારાષ્ટ્ર ડેન્જર ઝોનમાં છે, કારણ કે ત્યાં પોઝિટિવિટી રેટ 15% છે. આ સિવાય કેરળમાં પોઝિટિવિટી રેટ 14%, છત્તીસગઢ અને રાજસ્થાનમાં 10-10%, કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાં 9-9% છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો