નવું વર્ષ શરૂ થવાને બસ થોડા જ કલાકની વાર છે અને લોકો નવું વર્ષ સેલિબ્રેટ કરવાની નવી નવી જગ્યાઓની તપાસ કરવામાં વ્યસ્ત થઈ ગયા છે. બીજી બાજુ હોટેલ, બાર અને પબના માલિકો પણ વધુને વધુ ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા માટે નવી નવી ઑફર કરી રહ્યા છે. આ તમામ ઑફરમાં સૌથી અલગ ઘોષણા મુંબઈ, દિલ્હી અને બેંગલુરુમાં ચાલતા એક બારે કરી છે. વડાપ્રધાન મોદી 31 ડિસેમ્બરની રાત્રે દેશને સંબોધન કરવાના છે. આ ઘોષણા મુજબ PM સ્પીચમાં વચ્ચે જેટલી વાર તે ‘મિત્રોં’ શબ્દ વાપરશે, તેટલી વાર બારમાં ઉપસ્થિત ગ્રાહકોને 31 રૂપિયામાં બિયરનો શોટ આપવામાં આવશે. નોટબંધીના 50 દિવસ પૂરા થવા પર વડાપ્રધાન મોદી આજે રાત્રે દેશને સંબોધન કરશે. તેમણે પોતાના ઑફિશિયલ ફેસબુક પેજ પર આ ઘોષણા કરી છે. જો કે પછી તેમણે આ પોસ્ટને એડિટ કરી દીધી હતી. જો કે તેમની ભાષણની સ્ટાઈલને આ વર્ષે એક બારે યુનિક માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવી દીધી છે.
PM 'મિત્રોં' બોલશે એટલી વાર રૂ.31માં બિયર આપશે આ બાર!
Navbharat Times 31 Dec 2016, 2:12 pm