દેશમાં એવા ઘણા લોકો છે જે ભીખ માગીને પોતાનું પેટ ભરે છે. પરંતુ પંજાબના પઠાણકોટમાં એક એવો ભીખારી છે જે કોરોના યોદ્ધા બનીને સામે આવ્યો છે. ભીખ માગીને ગુજરાન ચલાવનારા દિવ્યાંગ રાજુએ એક એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેને હંમેશા યાદ રાખવામાં આવશે. અત્યાર સુધી રાજુએ 100 ગરીબ પરિવારોને એક મહિનાનું રાશન અને 3000 માસ્ક વહેંચ્યા છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:રાજુ ટ્રાઈસાયકલ ચલાવે છે અને આખો દિવસ ભીખ માગીને ગુજરાન ચલાવે છે. આ જ પૈસાથી તે લોકોની મદદ કરે છે. રાજુ પોતાના ભીખના પૈસાથી ઘણી ગરીબ છોકરીઓના લગ્ન પણ કરાવી ચૂક્યો છે. રાજુનું કહેવું છે કે આખો દિવસમાં તેને જે પણ પૈસા મળે છે, તેમાંથી જરૂર મુજબ ખર્ચ કરે છે અને બાકીના પૈસાની બચત કરે છે. બાદમાં આ પૈસાથી તે જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે.પઠાણકોટના ઢાંગુ રોડ પર એક ગલી તરફ જતો એક લાકડાનો પૂલ તૂટી ગયો હતો. જેના કારણે લોકોને પરેશાની થઈ રહી હતી. લોકો પ્રશાસનને તેની ઘણીવાર ફરિયાદ કરી ચૂક્યા હતા, પરંતુ રાજુએ પોતાના ભીખના પૈસાથી આ પૂલને ઠીક કરાવી દીધો. અને સમગ્ર પંજાબમાં તેની ચર્ચા થઈ.રાજુને તે વાતનું દુઃખ છે કે સ્વજનોએ તેને પોતાનાથી અલગ કરી દીધો. આથી તે સારું કામ કરવા માગે છે, જેથી મૃત્યુ બાદ તેની અર્થીને કાંધ આપવા માટે લોકો મળી જાય. નહીંતર ભીખારી જમીન પર જ જીવે છે અને જમીન પર જ મરી જાય છે. તેમની લાશને કોઈ કાંધ આપનારું પણ મળતું નથી.આ ઉપરાંત રાજુ ગરીબ બાળકોની સ્કૂલ ફી પણ ભરે છે અને અત્યાર સુધી ગરીબ છોકરીઓના લગ્ન કરાવી ચૂક્યો છે. તે ગરમીમાં લોકો માટે પાણીની વ્યવસ્થા કરે છે. કોરોના વાયરસના કારણે એકબીજુ સરકારની મદદ તમામ લોકો સુધી પહોંચી નથી રહી, એવામાં રાજુ જે કામ કરી રહ્યો છે તે ખૂબ જ પ્રશંસનીય છે.