એપશહેર

કોરોના વેક્સિન લીધી તેના 10 દિવસ પછી વોલન્ટિયરનું મોત, ભારત બાયોટેકે કરી સ્પષ્ટતા

કંપનીએ કહ્યું કે વેક્સિનનો ડોઝ આપ્યા પછી આગામી 7 દિવસ સુધી તેની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી હતી. આ દરમિયાન વોલન્ટિયરમાં કોઈ પ્રકારના વિપરિત લક્ષણ જોવા મળ્યા નહોતા.

I am Gujarat 9 Jan 2021, 9:04 pm
હૈદરાબાદ: ભારત બાયોટેકની કોરોના વેક્સિનના ત્રીજા તબક્કાના ટ્રાયલમાં ભાગ લેનારા એક વોલન્ટિયરનું ભોપાલમાં મોત થયું છે. હવે કંપનીએ વોલન્ટિયરના મૃત્યુ બાબતે સ્પષ્ટતા કરી છે. કંપનીએ કહ્યું કે કોરોના વેક્સિનના ટ્રાયલ માટે વોલન્ટિયરને તમામ નિયમો અને શરતોની જાણકારી આપવામાં આવી હતી. માત્ર આટલું જ નહીં, વેક્સિનનો ડોઝ આપ્યા પછી આગામી 7 દિવસ સુધી તેની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી હતી. આ દરમિયાન વોલન્ટિયરમાં કોઈ પ્રકારના વિપરિત લક્ષણ જોવા મળ્યા નહોતા.
I am Gujarat 1
પ્રતીકાત્મક તસવીર


ભારત બાયોટેકના અધિકારીએ કહ્યું કે કોરોના વેક્સિનના ફેઝ-3ના ટ્રાયલ માટે વોલન્ટિયર તમામ માપદંડ પૂરા કરી રહ્યો હતો. આ વોલન્ટિયર ટ્રાયલ પહેલા સંપૂર્ણ સ્વસ્થ હતો. જ્યારે તેને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો ત્યારબાદ પણ તેની હેલ્થનું ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું. ડોઝ આપ્યાના 7 દિવસ પછી જ્યારે તેની હેલ્થનું ચેકઅપ કરવામાં આવ્યું ત્યારે પણ તેમાં કોઈ વિપરિત અસર જોવા મળી નહોતી.

તમને જણાવી દઈએ કે 12 ડિસેમ્બરે કોરોના વેક્સિનના ત્રીજા તબક્કાના ટ્રાયલ દરમિયાન રસી લેનારા એક વોલન્ટિયરનું 10 દિવસ પછી મોત થયું. શુક્રવારે મૃતકના દીકરાએ આ અંગેનો ખુલાસો કર્યો. ત્યારબાદ ટ્રાયલ કરનાર હોસ્પિટલમાં હડકંપ મચી ગયો. મૃતકના પોસ્ટમોર્ટમના પ્રારંભિક રિપોર્ટમાં શબમાં ઝેર હોવાની જાણકારી મળી છે. જ્યારે ટ્રાયલ સેન્ટર તરફથી જણાવવામાં આવ્યું છે કે આ મોતનો વેક્સિનેશનની સાથે કોઈ સંબંધ નથી.

પરંતુ, હજુ સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ વોલન્ટિયરને વેક્સિન આપવામાં આવી હતી કે પછી પ્લેસિબો આપવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે પ્લેસિબોનો ઉપયોગ ડોક્ટર્સ એવું જાણવા માટે કરે છે કે દવા લેવાથી કોઈ વ્યક્તિ પર માનસિકરીતે શું અસર થાય છે. આ કોઈ દવા નથી હોતી અને તેની કોઈ સાઈડ ઈફેક્ટ પણ નથી થતી. કોરોના વેક્સિનના ત્રીજા તબક્કાના ટ્રાયલ દરમિયાન 50 ટકા લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે બાકીના લોકોને પ્લેસિબો અપાયેલ છે.

Read Next Story