એપશહેર

નાનાજી દેશમુખ, ભૂપેન હઝારિકા અને પ્રણવ મુખર્જીને ભારત રત્ન

Hitesh Mori | I am Gujarat 25 Jan 2019, 8:59 pm
નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રણ હસ્તીઓને દેશનું સર્વોચ્ચ સમ્માન ‘ભારત રત્ન’ આપવાની જાહેરાત કરી છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, નાના જી દેશમુખ (મરણોપરાંત) અને ડૉ. ભૂપેન હઝારિકા (મરણોપરાંત)ને દેશનું આ સમ્માન આપવામાં આવશે. નાનાજી દેશમુખે પોતાનું જીવન સમાજસેવામાં સમર્પિત કરી દીધું. ગ્રામીણ વિકાસમાં તેમનું યોગદાન આજે પણ યાદ કરવામાં આવે છે. જાણીતા લોક ગાયક ભૂપેન હઝારિકા અસમના છે. 8 ડિસેમ્બર 1926માં ભારતના પૂર્વોત્તર અસર રાજ્યના સદિયામાં જન્મેલા હઝારિકાએ પોતાનું પહેલું ગીત 10 વર્ષની ઉંમરમાં ગાયું હતું.
પ્રણવ મુખર્જીનું નામ ચોંકાવનારું છે. રાષ્ટ્રપતિ બન્યા પહેલા તેઓ પાંચ દશક સુધી કોંગ્રેસ પાર્ટીમાં હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ ત્રણેય હસ્તીઓને ભારત રત્ન આપવાની ખુશી વ્યક્ત કરી હતી. પ્રણવ મુખર્જી અંગે તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, ‘પ્રણવ દા અમારા સમયના ઉત્કૃષ્ટ રાજનેતા છે.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો