એપશહેર

દારૂના નશામાં વ્યક્તિએ પી લીધું સેનિટાઈઝર, ગુમાવવો પડ્યો જીવ

ભોપાલમાં દરરોજ દારૂ પીવાની ટેવ ધરાવતા વ્યક્તિએ દારૂના નશામાં કરી દીધી મોટી ભૂલ

I am Gujarat 26 Feb 2021, 7:40 pm
દારૂના નશામાં વ્યક્તિને સારા-ખોટાનું ધ્યાન રહેતું નથી અને ઘણી વખત તે ન કરવાનું કરી બેસતો હોય છે. આવી જ એક ઘટના ભોપાલમાં બની છે. ભોપાલના અરેરા હિલ્સ વિસ્તારમાં દારૂના નશામાં ચકચૂર વ્યક્તિએ સેનિટાઈઝર પી લીધું હતું જેના કારણે તેને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.
I am Gujarat senitizer


આ ઘટનાની તપાસ કરી રહેલા અધિકારી એચસી મુકેશ કુમારે જણાવ્યું હતું કે મૃતક જગદીશ રાઠોડ રોશનપુરામાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેઓ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા.

તેમણે જણાવ્યું હતું કે, જગદીશનો પુત્ર શિવમ કે જે એખ ડાન્સ ટીચર છે તેણે પોલીસને માહિતી આપી હતી કે તેના પિતાને દારૂ પીવાની આદત હતી. મંગળવારે રાત્રે દારૂના નશામાં તેમણે સેનિટાઈઝર પી લીધું હતું.

સેનિટાઈઝર પીધા બાદ તેની તબીયત બગડી હતી અને ત્યારે તે વધારે લથડી ત્યારે પરિવાર તેમને નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ડોક્ટરોએ તેમને હમિદિયા હોસ્પિટલ લઈ જવાની સલાહ આપી હતી. પરંતુ રસ્તામાં જ જગદીશનું મૃત્યું થયું હતું. હાલમાં આ કેસની તપાસ ચાલી રહી છે. પોલીસ હાલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે કેમ કે તેના દ્વારા જ મૃત્યુનું અસલી કારણ ખબર પડશે, તેમ તેમણે જણાવ્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો