એપશહેર

બિહારના DGP પાંડેએ લીધું VRS, કહ્યું 'હજુ રાજકરણમાં આવવા અંગે વિચાર કર્યો નથી'

ડીજીપી પાંડેએ VRS લીધા પછી રાજકરણમાં જોડાવાની ચર્ચા હતી જોકે તેમણે હાલ પૂરતી વાત ટાળી દીધી.

TNN 23 Sep 2020, 12:36 pm
નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપુત કેસમાં ચર્ચામાં આવેલા બિહારનાં DGP ગુપ્તેશ્વર પાંડે જેને સુશાંત મામલે કેસની તપાસ હાથ ધરવા માટે તત્પરતા દેખાડી હતી તેમણે મંગળવારે સ્વૈચ્છિક સેવા નિવૃતિ (Voluntary Retirement) લઈ લીધી છે. તેઓ 1987 બેચનાં આઈપીએસ અધિકારી (IPS officer) છે. ગુહ વિભાગે પણ તેમની સ્વૈચ્છિક નિવૃતિને પરવાનગી આપી છે. રિટાયરમેન્ટનાં પાંચ મહિના પહેલા જ તેઓએ વીઆરએસ લેનાર ગુપ્તેશ્વર પાંડે (Gupteswar Pandey) હવે રાજનીતિનાં મેદાને ઉતરશે તેવો અંદાજો લગાવાઈ રહ્યો છે. ગુપ્તેશ્વર પાંડેને લોકો વધુ ઓળખતા થયા જ્યારે સુશાંત કેસ (Sushant case) મામલે પટનામાં એફઆઈઆર (FIR) દાખલ થઈ અને ત્યાર બાદ બિહારનાં ડીજીપી ગુપ્તેશ્વર પાંડે પણ સુશાંત મામલે તપાસને વેગ આપવા માટે એક્શન મોડમાં આવ્યા હતાં. અને મુંબઈ પોલીસ (Mumbai Police) ની ઢીલી કાર્યવાહી અને બિહાર પોલીસને સહકાર ન આપવા બાબતે નારાજગી વ્યક્ત કરી હતી. જણાવી દઈએ કે ગુપ્તેશ્વર પાંડેની બિહારના યુવાનોમાં ખૂબ જાણીતા છે.
I am Gujarat bihar dgp takes vrs and said havent joined any political party no decision yet
બિહારના DGP પાંડેએ લીધું VRS, કહ્યું 'હજુ રાજકરણમાં આવવા અંગે વિચાર કર્યો નથી'


ડીજીપી ગુપ્તેશ્વર પાંડેની 2019માં બિહારનાં ડીજીપી તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને ડીજીપી તરીકેનો તેમનો કાર્યકાળ ફેબ્રુઆરી 2021માં સમાપ્ત થઈ રહ્યો છે પરંતુ તેમણે કાર્યકાળ સમાપ્ત થવાનાં પાંચ મહિના અગાઉ જ વીઆરએસ લઈ લીધું છે. એવી અટખળો વહેતી થઈ હતી કે ડીજીપી પાંડે બિહારમાં આવી રહેલી ચૂંટણીમાં રાજકરણમાં હાથ અજમાવશે.

સ્વૈચ્છિક નિવૃત્તિ બાદ પાંડેએ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું કે હતું કે લોકો તેમને મળવા આવી રહ્યા છે અને એકવાર તેઓ આ લૌલિક આચારમાંથી ફ્રી થશે ત્યાર બાદ આગાળના ભવિષ્ય અંગે વિચાર કરશે. તેમણે કહ્યું કે 'બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા અંગે હજુ મે કંઈ કહ્યું હનથી. લોકો કંઈપણ પોતાની મરજી મુજબ બોલી શકે છે. મે ડીજીપી તરીકે ફરજ બજાવી છે હવે હું ફ્રી છું. હજુ સુધી તો હું કોઈ રાજકીય પક્ષમાં જોડાયો નથી. આ બાબતે મ હજુ સુધી કોઈ નિર્ણય નથી લીધો.'

મે રાજ્યમાં ડીજીપી તરીકે ફરજ બજાવી અને રાજ્યનો કાયદો અને વ્યવસ્થા સુચારુ ચાલતી રહે તે માટે તમામ પ્રયાસ કર્યા છે. CAA - NRC સમયે દેશના અનેક રાજ્યોમાં મોટા આંદોલનો થયો હતા અને હિંસાત્મક પ્રોટેસ્ટ પણ થઈ હતી. જોકે બિહારમાં અમે કાયદો વ્યવસ્થાની સ્થિતી જાળવી રાખવામાં સફળ રહ્યા હતા.

તેમણે ઉમેર્યું કે 'મે કાલે જ VRS લઈ લીધું છે. હવે હું ફ્રી મેન છું કોઈ ડીજીપી મેન નથી. લોકો જુદા જુદા જિલ્લામાંથી મને મળવા માટે આવે છે. હું તેમને મળ્યા બાદ શું કરવું તેનો નિર્ણય કરીશ. જોકે હજુ સુધી મને કોઈ રાજકીય પાર્ટીના લોકો મળવા આવ્યા નથી. તો મે પણ કોઈપક્ષ સાથે જોડાણ કર્યું નથી. જ્યારે હું કોઈ પક્ષમાં સામેલ થઈશ ત્યારે તમને ચોક્કસ જાણ કરીશ. બાકી જ્યાં સુધી સામાજીકક સેવાની વાત છે તે તો હું કોઈ રાજકીય પાર્ટીમાં જોડાયા વગર પણ કરી જ શકું છું.'

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો