એપશહેર

પીએમ મોદીએ બિહારમાં કરેલી રેલીથી જાદૂ ચાલ્યો? કોના ખાતામાં કેટલી બેઠકો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહાર પ્રચારમાં 4 દિવસમાં 12 રેલી કરી હતી જેની અસર દેખાઈ રહી છે.

I am Gujarat 10 Nov 2020, 3:10 pm
બિહારમાં આજે જે પ્રમાણેના ટ્રેન્ડ ચાલી રહ્યા છે તે એક્ઝિટ પોલ કરતા કંઈક અલગ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. આ ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 દિવસમાં 12 રેલીઓ કરી હતી. તેમણે 23 ઓક્ટોબરે ચૂંટણી અભિયાન શરુ કર્યું અને 3 નવેમ્બરે બીજા તબક્કાના દિવસે અંતિમ રેલીને સંબોધિત કરી. તેમણે 23 ઓક્ટોબરે સાસારામ, ગયા અને ભાગલપુરમાં અને 28 ઓક્ટોબરે દરભંગા, મુઝફ્ફરપુર અને પટના, 1 ઓક્ટોબરે છપરા, પૂર્વ ચંપારણ અને સમસ્તીપુર જ્યારે 3 નવેમ્બરે પશ્ચિમ ચંપારણ, સહરસા અને ફારબિસગંજમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી.
I am Gujarat bihar election 2020 nda and mahagathbandhan performance on those seats where pm modi held rally
પીએમ મોદીએ બિહારમાં કરેલી રેલીથી જાદૂ ચાલ્યો? કોના ખાતામાં કેટલી બેઠકો


મોદીની રેલીના પ્રભાવમાં 100થી વધુ બેઠકો

101 બેઠકોમાંથી NDA તરફ 59 બેઠકો જ્યારે 42 બેઠકો પર મહાગઠબંધન તરફ આવી રહી છે. NDAમાં ભાજપ 39, જેડીયુ 14, વીઆઈપી 5, જ્યારે કે હમ એક બેઠક હાંસલ કરી છે. જ્યારે મહાગઠબંધનમાં આરજેડીએ 29, કોંગ્રેસે 7, સીપીઆઈ (એમએ) 4, સીપીઆઈ (એમ) 2 બેઠકો પર આગળ છે.

ભાજપ-જેડીયુનું જોડું કેટલું ચાલશે?

2015ની વિધાનસભા ચૂંટણીમાં નીતિશે લાલુ સાથે ગઠબંધન કર્યું હતું, પરંતુ થોડા જ મહિનાઓમાં તેનો અંત આવ્યો હતો. ત્યારબાદ નીતિશે ભાજપ સાથે ગઠબંધન કરી સરકાર બનાવી લીધી હતી. નીતિશ અને ભાજપના સંબંધો હંમેશા ચર્ચાનો વિષય રહ્યા છે.

ભાજપના પોસ્ટરમાંથી નીતિશનો ફોટો હટાવી દેવાયા બાદ પણ જેડીયુ ફિક્સમાં મૂકાઈ ગયું હતું, પરંતુ કંઈ બોલી શકે તેમ નહોતું. હવે જો ભાજપને બિહારમાં સૌથી વધુ બેઠકો મળે તો સીએમની ખુરશી નીતિશને મળે છે કે કેમ અને જો મળે તો કઈ શરતો પર મળે છે તે પણ જોવાનું રહેશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો