પટણા: અંતિમ સંસ્કારની વિધી ચાલતી હોય તે સમયે કોઈ જીવતું થઈ ગયું હોય, કે પછી ડોક્ટરોએ જેને મૃત જાહેર કરી હોય તે વ્યક્તિ જીવિત થઈ ગઈ હોય આવા કિસ્સા ઘણી વખત તમે સાંભળ્યા હશે. કોઈ અભણ વ્યક્તિ મરી જાય પછી તેના બેંક અકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડવા માટે તેનો અંગૂઠાનું નિશાન લઈ છેતરપિંડી કરવાના પ્રયાસો વિશે પણ તમે સાંભળ્યું હશે. પરંતુ બિહારની આ ઘટના તો તદ્દન અલગ જ છે. બિહારના પાટનગર પટણામાં એક એવો મામલો સામે આવ્યો છે, જેના વિશે જાણીને કોઈપણ ચોંકી જશે. અહીં બેંકમાં રૂપિયા ઉપાડવા માટે એક મડદું પહોંચી ગયું, જેને જોઈને અધિકારીઓમાં ચકચાર મચી ગઈ. કોઈને પણ વાત ડરામણી લાગશે, પરંતુ આવું હકીકતમાં બન્યું છે.
પટણાના સિગરિયાવા ગામની નજીક કેનેરા બેંકની શાખા છે. બેંકમાં એ સમયે અફરાતફરી મચ ગઈ જ્યારે અર્થી પર રહેલા શખસના અકાઉન્ટમાંથી રૂપિયા આપવા કહેવામાં આવ્યું. જણાવાઈ રહ્યું છે કે, સિગરિયાવા ગામના 55 વર્ષના મહેશ યાદવનું મંગળવારે મોત થઈ ગયું હતું.
મહેશના અંતિમ સંસ્કાર કરવાના હતા, પરંતુ તેના માટે કોઈની પાસે રૂપિયા ન હતા. એવામાં ગામના લોકો બેંકમાં પહોંચ્યા અને ત્યાં જઈને મહેશના ખાતામાં જમા રૂપિયા આપવાની માંગ કરવા લાગ્યા. પરંતુ બેંકના અધિકારીઓએ એવું કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો.
કેનેરા બેંકના અધિકારીઓએ નિયમ-કાયદાનો પેચ ફસાવી દીધો. એવામાં બેંકમાંથી રૂપિયા ન ઉપાડી શકાયા તો, ગામના લોકો મહેશ યાદવની અર્થીને લઈને જ બેંક પહોંચી ગયા. તે પછી તો સમગ્ર બેંકમાં અફરાતફરી મચી ગઈ જણાવાઈ રહ્યું છે કે, લગભગ 3 કલાક સુધી મહેશનો મૃતદેહ બેંકમાં જ પડી રહ્યો. આખરે મામલાને શાંત કરવા માટે મેનેજરે પોતાના તરફથી 10 હજાર રૂપિયા આપ્યા અને જેમ-તેમ કરી લોકોને સમજાવી અંતિમ સંસ્કાર માટે મોકલ્યા.
નોમિની ન હોવાના કારણે ઊભી થઈ સમસ્યામૃતક મહેશ યાદવના લગ્ન થયા ન હતા. જાણવા મળ્યું કે, એ કારણે જ્યારે તેણે બેંકમાં પોતાનું અકાઉન્ટ ખોલાવ્યું ત્યારે નોમિની તરીકે કોઈનું નામ નહોંતું રાખ્યું. જણાવાયા મુજબ, તેના ખાતામાં એક લાખ રૂપિયાથી વધુ જમા છે. બેંકના અધિકારીઓ મુજબ, બે વખત સૂચના આપવા છતાં પણ મહેશે પોતાનું કેવાયસી અપડેટ નહોંતું કરાવ્યું, જેના કારણે મેનેજરે રૂપિયા આપવાનો ઈનકાર કરી દીધો.
પટણાના સિગરિયાવા ગામની નજીક કેનેરા બેંકની શાખા છે. બેંકમાં એ સમયે અફરાતફરી મચ ગઈ જ્યારે અર્થી પર રહેલા શખસના અકાઉન્ટમાંથી રૂપિયા આપવા કહેવામાં આવ્યું. જણાવાઈ રહ્યું છે કે, સિગરિયાવા ગામના 55 વર્ષના મહેશ યાદવનું મંગળવારે મોત થઈ ગયું હતું.
મહેશના અંતિમ સંસ્કાર કરવાના હતા, પરંતુ તેના માટે કોઈની પાસે રૂપિયા ન હતા. એવામાં ગામના લોકો બેંકમાં પહોંચ્યા અને ત્યાં જઈને મહેશના ખાતામાં જમા રૂપિયા આપવાની માંગ કરવા લાગ્યા. પરંતુ બેંકના અધિકારીઓએ એવું કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો.
કેનેરા બેંકના અધિકારીઓએ નિયમ-કાયદાનો પેચ ફસાવી દીધો. એવામાં બેંકમાંથી રૂપિયા ન ઉપાડી શકાયા તો, ગામના લોકો મહેશ યાદવની અર્થીને લઈને જ બેંક પહોંચી ગયા. તે પછી તો સમગ્ર બેંકમાં અફરાતફરી મચી ગઈ જણાવાઈ રહ્યું છે કે, લગભગ 3 કલાક સુધી મહેશનો મૃતદેહ બેંકમાં જ પડી રહ્યો. આખરે મામલાને શાંત કરવા માટે મેનેજરે પોતાના તરફથી 10 હજાર રૂપિયા આપ્યા અને જેમ-તેમ કરી લોકોને સમજાવી અંતિમ સંસ્કાર માટે મોકલ્યા.
નોમિની ન હોવાના કારણે ઊભી થઈ સમસ્યામૃતક મહેશ યાદવના લગ્ન થયા ન હતા. જાણવા મળ્યું કે, એ કારણે જ્યારે તેણે બેંકમાં પોતાનું અકાઉન્ટ ખોલાવ્યું ત્યારે નોમિની તરીકે કોઈનું નામ નહોંતું રાખ્યું. જણાવાયા મુજબ, તેના ખાતામાં એક લાખ રૂપિયાથી વધુ જમા છે. બેંકના અધિકારીઓ મુજબ, બે વખત સૂચના આપવા છતાં પણ મહેશે પોતાનું કેવાયસી અપડેટ નહોંતું કરાવ્યું, જેના કારણે મેનેજરે રૂપિયા આપવાનો ઈનકાર કરી દીધો.