એપશહેર

હોસ્પિટલમાં દાખલ મહિલા દર્દી માંગી રહ્યા છે ઓપરેશન કરનાર ડોક્ટરની કિડની, શું છે મામલો?

38 વર્ષીય મહિલાની સારવાર મુઝફ્ફરપુરની સરકારી શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં (SKMCH) કરવામાં આવી રહી છે. જીવિત રહેવા માટે તેમને નિયમિત ડાયાલિસિસ પર મૂકવામાં આવ્યા છે. આ મહિલાને ત્રણ સગીર બાળકો છે અને તે તેમની સંભાળ રાખવા માટે જીવિત રહેવા માંગે છે. ઉલ્લેખનીય છે કે, મહિલા તેના ગર્ભાશયના ચેપની સારવાર માટે મુઝફ્ફરપુર શહેરના બરિયારપુર વિસ્તારના એક ખાનગી ક્લિનિકમાં ગઈ હતી. તે જ સમયે ડોક્ટરે કથિત રીતે તેની બંને કિડની કાઢી નાખી હતી.

Reported byManoj Chaurasia | Edited byદીપક ભાટી | TNN 16 Nov 2022, 7:08 pm
પટણા: મુઝફ્ફરપુરની મહિલા સુનિતા દેવીની બંને કિડની કથિત રીતે આ વર્ષે સપ્ટેમ્બરમાં સ્થાનિક ખાનગી નર્સિંગ હોમમાં કાઢી નાખવામાં આવી હતી. મહિલા પોતાના જીવન માટે આરોપી ડોક્ટરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા માંગે છે. 38 વર્ષીય મહિલાની સારવાર મુઝફ્ફરપુરની સરકારી શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં (SKMCH) કરવામાં આવી રહી છે. જીવિત રહેવા માટે તેમને નિયમિત ડાયાલિસિસ પર મૂકવામાં આવ્યા છે. આ મહિલાને ત્રણ સગીર બાળકો છે અને તે તેમની સંભાળ રાખવા માટે જીવિત રહેવા માંગે છે. ઉલ્લેખનીય છે કે, મહિલા તેના ગર્ભાશયના ચેપની સારવાર માટે મુઝફ્ફરપુર શહેરના બરિયારપુર વિસ્તારના એક ખાનગી ક્લિનિકમાં ગઈ હતી. તે જ સમયે ડોક્ટરે કથિત રીતે તેની બંને કિડની કાઢી નાખી હતી. આ ઘટના 3 સપ્ટેમ્બરની હોવાનું સામે આવ્યું છે.
I am Gujarat Patna


પીડિત મહિલા સુનીતાએ કહ્યું કે, 'હું સરકારને અપીલ કરું છું કે મારી બંને કિડની કાઢી નાખનાર આરોપી ડોક્ટરની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. તેણીની કિડની મને ટ્રાન્સપ્લાન્ટ માટે આપવામાં આવે જેથી હું જીવિત રહી શકું.'' તેમણે કહ્યું કે જો આવી કાર્યવાહી કરવામાં આવશે તો પૈસા માટે ગરીબોના જીવન સાથે રમત કરનારા આવા તમામ લોભી ડોકટરો માટે તે સજા હશે. જ્યારે સપ્ટેમ્બર માસમાં આ ઘટના પ્રકાશમાં આવી ત્યારથી આરોપી ડો.આર.કે. સિંઘ ફરાર છે અને પોલીસને તેના ઠેકાણા અંગે કોઈ સુરાગ નથી.

ઓપરેશન બાદ મહિલા સતત પેટમાં દુખાવાથી પરેશાન રહેતી હતી અને પછી તેની તબિયત બગડતી ગઈ. બાદમાં તેને SKMCHમાં લઈ જવામાં આવી, જ્યાં ટેસ્ટ બાદ ડોક્ટરોએ જણાવ્યું કે તેની બંને કિડની ગાયબ છે. આ પછી તેને પટણાના ઈન્દિરા ગાંધી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (IGIMS)માં મોકલવામાં આવી. પરંતુ થોડા દિવસોની સારવાર બાદ તેને ફરીથી SKMCHમાં મોકલી દેવામાં આવી હતી. જ્યાં તે તબીબોની દેખરેખ હેઠળ છે.

SKMCH સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. બી.એસ. ઝાએ કહ્યું કે મહિલાની સ્થિતિને જોતા તેનું ડાયાલિસિસ દર બીજા દિવસે કરવામાં આવે છે. મહિલાને કહેવામાં આવ્યું છે કે તે IGIMSમાં દાખલ છે. જ્યારે પણ ત્યાં કિડની ઉપલબ્ધ થશે ત્યારે તેને ટ્રાન્સપ્લાન્ટ માટે બોલાવવામાં આવશે. જો કે, સુનીતા તરત જ પોતાના માટે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માંગે છે.
લેખક વિશે
Manoj Chaurasia
Manoj Chaurasia is a senior political journalist having experience of working for top national and international media in a career spanning over 25 years. He loves writing political, offbeat and human-interest stories.... વધુ વાંચો

Read Next Story