એપશહેર

ભાજપને વધુ એક ઝટકો, કૃષિ કાયદાના વિરોધમાં RLPએ NDAથી છેડો ફાડ્યો

રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના સંયોજક હનુમાન બેનીવાલે ખેડૂતોના સમર્થનમાં એનડીએથી અલગ થવાની જાહેરાત કરી

I am Gujarat 26 Dec 2020, 9:12 pm
નવી દિલ્હીઃ ખેડૂતોના આંદોલન મુદ્દે નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી એનડીએ સરકારને મોટો ફટકો પડ્યો છે. રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (આરએલપી)એ એનડીએ સાથેથી છેડો ફાડી નાંખ્યો છે. પાર્ટીના સંયોજક અને નાગૌરથી સાંસદ હનુમાન બેનીવાલે તેની જાહેરાત કરી છે. થોડા સમય અગાઉ બેનીવાલે ખેડૂત આંદોલનના સમર્થનમાં 26 ડિસેમ્બરે બે લાખ ખેડૂતોને લઈને રાજસ્થાનથી દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરી હતી.
I am Gujarat RLP


રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના પ્રમુખ હનુમાન બેનીવાલે જાહેરાત કરતા કહ્યું છે કે કેન્દ્ર સરકાર કૃષિ બિલને પાછા ન ખેંચવા અંગે મક્કમ છે. આ ત્રણેય બિલ ખેડૂતોના વિરુદ્ધ છે તેથી હું એનડીએથી અલગ થઈ રહ્યો છું. કોંગ્રેસમાં જોડાવા અંગેના સવાલના જવાબમાં બેનીવાલે કહ્યું હતું કે તેઓ કોંગ્રેસ સાથે કોઈ પણ પ્રકારનું ગઠબંધન નહીં કરે.

અગાઉ બેનીવાલે કહ્યું હતું કે કેન્દ્રની મોદી સરકાર પાસે 303 સાંસદ છે જેના કારણે તેઓ કૃષિ કાયદાઓ પાછા લઈ રહી નથી. 1,200 કિમી દૂર રાજસ્થાનના ખેડૂત દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. એનડીએમા જોડાયેલા રહેવા અંગે તેમણે કહ્યું હતું કે, હરિયાણા બોર્ડરના શાહજહાંપુરમાં બેઠક બાદ એનડીએમાં રહેવા કે સાથે છોડવા અંગે નિર્ણય લેવામાં આવશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો